PM Modi Birthday Celebration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સુરતમાં ખાસ રીતે ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. તે માટે સુરતના વેપારી અને ઓટો રિક્ષા માલિક ખાસ ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે. સુરતની રેસ્ટોરન્ટ, હોટલ, કપડાની દુકાન, મિઠાઈની દુકાન સાથે જોડાયેલા 2500 વેપારી પોતાના સામાન પર 10થી 100 ટકા સુધીની છૂટ આપશે. તો આજે (16 સપ્ટેમ્બર) ઓટોની ફ્રી સવારી મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ નેતા પુર્ણેશ મોદીએ કહ્યું કે- અમારા વિધાનસભા ક્ષેત્રમાં દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સેવાકાર્યો થાય છે. તે દિવસને અમે સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ. અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો, ઘણા હોટલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, કોઈ રેસ્ટોરન્ટ ચલાવી રહ્યું છે કોઈ રિક્ષા ચલાવી રહ્યું છે. તો કોઈ ક્લીનિક ચલાવી રહ્યું છે. કોઈ શાક વેચી રહ્યું છે. કોઈ ડેરી કે બેકરી સાથે જોડાયેલા છે. કોઈ કપડાની દુકાન ચલાવે છે. અનેક વ્યવસાય સાથે જોડાયેલા 2500 વેપારીઓ પોતાની દુકાનમાં 10 ટકાથી લઈને 100 ટકા સુધીની છૂટ આપશે અને આ ચાર દિવસ ચાલશે.



તેમણે જણાવ્યું કે 17 સપ્ટેમ્બરે સુરત મહાનગરમાં ગણેશ વિસર્જન છે તો તે દિવસે ઘમી દુકાન બંધ રહે છે. તેથી શનિવાર, રવિવાર અને સોમવારની રજા પણ છે. તે વેપારી પર છે કે તે કેટલી છૂટ આપશે. અમારૂ કામ માત્ર મધ્યસ્થતાનું છે જેથી ગરીબ લોકોને લાભ મળી શકે છે. આમાં સ્વેચ્છાએ લોકો જોડાઈ રહ્યાં છે. મોદીજી સાથે લોકોની સંવેદના જોડાયેલી છે.



તો ઓટો-રિક્ષા યુનિયનના પ્રમુખ રાજીવ ભંડારીએ કહ્યું કે અમે દર વર્ષે પીએમ મોદીના જન્મદિવસે વેપારીઓ ડિસ્કાઉન્ટ આપે છે, એટલે અમારા તરફથી પણ હોવું જોઈએ. અમે 100 ટકાની છૂટ આપવા માટે તૈયાર છીએ. પેસેન્જર ફ્રીમાં લઈ જશે. એકપણ રૂપિયા લેવામાં આવશે નહીં. 16 સપ્ટેમ્બરે આ મુસાફરી ફ્રી રહેશે.