* શિક્ષકની ગુંડાગિરીનો આખરે અંત
* ઉંઝાલા સર્કલ પાસે ઉઘરાવતા હતા રૂપિયા
* અસામાજિક તત્વો દ્વારા ટ્રાવેલ્સના ધંધાર્થીઓથી ગેરકાયદે પડાવતાં પૈસા
* ઇકો ગાડીના ચાલકો પાસેથી 100 થી 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની પોલીસને મળી હતી ફરિયાદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉજાલા સર્કલ પાસે ટ્રાવેલ્સના ફેરા મારતા ડ્રાઇવરો પાસેથી ઉઘરાણી કરતા વ્યક્તિઓને સરખેજ પોલીસે દબોચી લીધા છે. ઉલ્લેખનીય છે કે ટ્રાવેલ્સના ફેરા મારતી વખતે રોડ પર ઊભા રહેવાની બાબતે એક ગાડી દીઠ 100 અથવા તો 200 રૂપિયાની માંગણી કરી રહેલા આઠ લોકો વિરોધ ગુનો નોંધ્યો છે. 


સરકારે અભિયાન શરૂ કરતા હઇસો હઇસો કરીને કરોડોના ખર્ચે પ્લાન્ટ તો બનાવ્યો, હવે ધુળ ખાય છે


સરખેજ પોલીસ સ્ટેશનની ગિરફતમાં ઉભેલા આ તમામ આરોપીઓ પર ગેરકાયદે ખંડણી ઉઘરાવવાનો આરોપ લાગ્યો છે. જેને લઈ સરખેજ પોલીસે તેમની અટકાયત કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓ પૈકી એક આરોપી શિક્ષક છે અને રોડ ઉપર હપ્તા પણ ઉઘરાવે છે. સંજય ભરવાડ ઉર્ફે માસ્ટર નામનો આ આ શિક્ષક વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ પૂરું પાડતું હશે તે હવે તમે જ નક્કી કરો. હાલ સરખેજ પોલીસે  ઉજાલા સર્કલ પાસે ઉભી રહેતી ઇકો ગાડીના ડ્રાઈવર પાસેથી પેસેન્જર દીઠ 10 રૂપિયા અથવા તો એક ગાડીના 100 થી 200 રૂપિયા આ ટોળકી દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. ત્રાસી ઉઠેલા ટ્રાવેલ્સ ચાલકોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બાબતની ફરિયાદ નોંધી હતી અને સરખેજ પોલીસે છટકું ગોઠવીને આ તમામ લુખ્ખા તત્વો માંથી માત્ર 5 લોકોને દબોચી લીધા હતા.


પોતાની દિકરીની ઓળખ આપીને વૃદ્ધ 15 વર્ષની તરૂણીને તળાવના ખુણે લઇ ગયા પછી બંન્નેએ...


પ્રાપ્ત માહિતી અનુસાર સરખેજ પોલીસને ફરિયાદ મળતા પોલીસે છટકું ગોઠવ્યું જેમાં ઈકો ગાડીમાં પોલીસ કર્મીઓ ડ્રાઇવરના જ વેશમાં ઉજાલા સર્કલ પાસે ફેરા મારવા માટે ઉભા રહ્યા. અને ડ્રાઇવરના સ્વાંગમાં આવેલા પોલીસ કર્મચારીઓ પાસે આ અસામાજિક તત્ત્વોએ રૂપિયાની માંગણી પણ કરી અને ત્યારબાદ આ તમામે તમામ આરોપીઓ જેઓ ઉઘરાણીના રૂપિયા ગણતા હતા. તે તમામને જેલના સળિયા ગણતા કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ ઉઘરાણીનો સિલસિલો આજકાલનો નહીં પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતો આવતો હતો. ત્યારે પોલીસે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરીને અન્ય બીજા આરોપીઓની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.


GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં બેકાબુ થતો કોરોના, આંકડા જાણી પાછા ગામડે જતા રહેશો


અમદાવાદ શહેરના ઉજાલા સર્કલ પાસે જ આવા અસામાજીક તત્વો છે, તેવું નથી પરંતુ શહેરના બરોડા એક્સપ્રેસ હાઈવે એટલે કે સીટીએમ પાસે પણ ટ્રાવેલ્સના ફેરા મારતા લોકો ને કાંતો પોલીસને હપ્તો આપવો પડે છે. કાંતો પછી આવા જ કેટલાક લુખ્ખા તત્વોને પૈસા આપવા પડતા હોય છે. પરંતુ શહેરના અન્ય પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારીઓએ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ એક મુહિમ ઉપાડવી જોઈએ જેથી કરીને મહેનત કરીને જે લોકો પોતાનું પેટીયું રળતા હોય છે તે લોકોને આવા અસામાજીક તત્વોથી છુટકારો મળી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube