હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત પર કુદરત તો રૂઠી જ હોય તેવું લાગી રહ્યું છે જે પ્રકારે કોરોના વાયરસે સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે, તોફાનની આશંકા છે આ ઉપરાંત કમોસમી વરસાદે પણ ખેડૂતોને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં હવે માનવ સર્જીત આફતો પણ ગુજરાત પર આવી પડે તેવી આશંકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના હાઇવે પર ડફેર ગેંગ સક્રિય: ભાવનગરનાં 7 ટ્રકોમાં મચાવી લૂંટફાટ

જમ્મુ કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા બાતમીના આધારે સુરક્ષા દળો પર મોટો હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જો કે હવે આતંકવાદીઓની રડાર પર ગુજરાત હોવાનું સામે આવ્યું છે. આઇબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે આ અંગે કોઇ જ અધિકારીક પૃષ્ટી મળી નથી. પરંતુ ગાંધીનગરના સચિવાલય સંકુલની સુરક્ષા વધારે કડક કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ આ અંગે સત્તાવાર મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.


ગુજરાતમાં વાવાઝોડું આવશે કે કેમ? હવામાન વિભાગ અને ખાનગી સંસ્થાના અલગ અલગ દાવા


એલર્ટનાં પગલે ગાંધીનગરના સચિવાલય સંકુલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સચિવાલયના ગેટ બહાર હથિયાર અને બુલેટપ્રુફ જેકેટ સાથે સશ્સ્ત્ત્ર જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વિધાનસભા અને અન્ય તમામ મહત્વના સંસ્થાનોની સુરક્ષા પણ વધારે કડક કરવામાં આવી છે. જો કે આ અંગે અધિકારીક રીતે કોઇ પણ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર