તેજસ દવે/મહેસાણા: ઊંઝા નજીક આવેલા બ્રાહ્મણવાડા ગામની ડુંગળી પ્રખ્યાત છે. અહી ચાલુ વર્ષે 100 વિઘાથી વધુ વિસ્તારમાં ડુંગળી ની ખેતી કરવામાં આવી હતી. જે ડુંગળી તૈયાર થતા જ એકાદ માસમાં ડુંગળીનું વેચાણ થઈ જાય છે. બ્રાહ્મણવાડા ની ડુંગળી તીખી નહિ પણ મીઠી હોય છે. જેને કારણે લોકો બારે માસ ઘરે ખાવા માટે અહીંની ડુંગળી ખરીદવાનું પ્રથમ પસંદગી કરતા હોય છે . 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં મતદાન પહેલા જ સચિન પાયલોટે કર્યો મોટો ધડાકો, 'ગેહલોતના નેતા સોનિયા નહીં..


બ્રાહ્મણવાડા ની ડુંગળી સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સુરત, અમદાવાદ , રાજકોટ વિસ્તારમાં પણ જતી હોય છે. વેપારીઓ અહીંથી બલ્ક માં ડુંગળી ખરીદી વેચાણ માટે લઈ જતા હોય છે. તો ઘર વપરાશ માટે 4 થી 5 મણ વર્ષ માટે સંગ્રહ કરવા લોકો ખરીદી લે છે. સામાન્ય રીતે નાસિક ની ડુંગળી તીખી હોય છે. જ્યારે બ્રાહ્મણવાડાની ડુંગળી મીઠી હોવાથી રોજિંદા ઉપયોગમાં વધુ લેવાય છે. 


કળજુગ આવ્યો... રૂપિયા માંગવા આવેલા પુત્રને પિતાએ જ મોતને ઘાટ ઉતાર્યો


બ્રાહ્મણવાડા હાઇવેથી પસાર થતાં વાહનચાલકો પણ મોટા પ્રમાણમાં ડુંગળી ખરીદી કરે છે. ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ઊંચે જતાં હોય છે. જ્યારે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ માપના હોવાથી ગરીબ વર્ગના લોકો વધુ ઉપયોગ કરે છે. ગરમીમાં ડુંગળીનો સલાડ તરીકે વધુ ઉપયોગ થાય છે. અહીંની ડુંગળી કડી, વિસનગર, કલોલ, મહેસાણા, અમદાવાદ, સુરત સુધી જાય છે. ડુંગળીના એક મણના ભાવ રૂ.350 જોવા મળી રહ્યા છે. આ વર્ષે ડુંગળીનો પાક ઓછો છે અને પાક ઉત્પાદન ઓછું હોવાથી હજુ પણ ભાવ વધશે તેવી આશા ખેડૂતોને છે.


AI એ બનાવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો, બાળ લીલાથી મહાભારત સુધીનું જોવા મળ્યું સ્વરૂપ