ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર બદલી અને બઢતીનું ભૂત ધૂણ્યું છે. આ સાથે જ ગુજરાતમાં 6 IFS અધિકારીને પ્રમોશન, તો બીજી બાજુ 7 ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર છૂટ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત અધિકારીઓને ક્યાં બદલી કરાઈ
નગરપાલિકાઓના ચીફ ઓફીસર સંર્વગના સાત અધિકારીઓને જાહેર હિતમાં તેઓની હાલની જગ્યાએથી બદલી કરી છે જેમાં દશરથસિંહ એન ગોહિલને ભરૂચથી બદલી કરી વલસાડ મુકવામાં આવ્યા છે જ્યારે સંજય એચ પટેલને સિધ્ધપુરથી બદલી ચાણસ્મા કરાઈ છે.  સાવનકુમાર સી રતાણીને કપડવંજથી ખેડબ્રહ્મા મુકાયા છે. 



કૈલાશબેન પ્રજાપતિને RCM રાજકોટથી કપડવંજ મુકવામાં આવ્યા છે. મનોજ આર સોલંકીને પોરબંદર-છાયાથી કલોલ ખાતે બદલી કરાઈ છે જ્યારે વિજય એન પરીખને કલોલથી ડે. ડાયરેક્ટર, GMFB ખાતે બદલી કરાઈ છે. શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફીસરોને બદલી આદેશ કર્યા છે.


છ  IFSની બઢતી સાથે બદલી 
આ સાથે છ જેટલા આઈએફએસ અધિકારીએે બદલી સાથે બઢતી પણ કરાઈ છે. જેમાં ડૉ. સંદીપ કુમાર IFS (GJ-RR-2005) રાજકોટ ખાતેથી બઢતી સાથે કેવડિયા બદલી કરાઈ છે. પ્રદીપ સિંહ, IFS તેમજ ડૉ કે શશીકુમાર તેમજ શ્રી આર સેંથિલકુમારન, ડો ટી કરુપ્પાસામી અને શ્રી પૂ પુરુષોત્તમાની પણ બઢતી સાથે બદલી કરાઈ છે.