Ambalal Patel Prediction : ગુજરાતીઓની નવરાત્રિ તો વરસાદ વગર સરસ નીકળી જશે. પરંતું અસલી ખેલ તો નવરાત્રિ પછી શરૂ થશે તેવી અંબાલાલ પટેલે ચેતવણી આપી છે. નવરાત્રિ બાદ ભારેથી અતિભારે વરસાદ તો છોડો, પણ અંબાલાલે સીધી વાવાઝોડાની જ આગાહી કરી દીધી છે. હવામાન નિષ્ણાતે તારીખ આપીને આગાહી કરી કે, આ દિવસે ગુજરાતથી અડીને પસાર થશે વાવાઝોડું.