બ્રિજેશ દોશી/ગાંધીનગર :રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર (rajasthan politics) થી બચાવવા માટે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે ભાજપના આ ધારાસભ્યોને ગુપ્ત રીતે સાચવવામાં આવી રહ્યાં છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે ગઈકાલે 6 ધારાસભ્યો સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેના બાદ રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્યોને સાસણના ખાનગી રિસોર્ટમાં મોડી રાત્રે લઈ જવામાં આવ્યા હતા. 6 ધારાસભ્યોને સોમનાથથી સાસણ ખેસડવામાં આવ્યા છે. જન્માષ્ટમી સુધી આ ધારાસભ્યો સાસણ રોકાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસૂલ મંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી 


રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને સાસણમાં અન્ય રિસોર્ટમાં ખસેડાયા છે. ગણતરીના કલાકોમાં 3 રિસોર્ટમાં ખસેડયા છે. ભાજપના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સ્થાનિક ભાજપના નેતાઓને સોંપાઈ છે. રાજસ્થાનના જે નેતાઓ સોમનાથ લઈ જવાયા છે તેઓ ગોપીચંદ મીણા, નિર્મલ કુમાવત, જબ્બર સિંહ સાંખલા, ગુરદીપ શાહપિની, ધર્મેન્દ્ર કુમાર મોચી અને ગોપાલ લાલ શર્મા છે. તમામે સોમનાથમાં દર્શન કરીને આર્શીવાદ લીધા હતા. મોડીરાત્રે સોમનાથથી ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ સાગર દર્શન ગેસ્ટહાઉસમાં સાંજનું ભોજન લીધું હતું. 


કોઝિકોડે વિમાન દુર્ઘટનાના પાયલટ દીપક સાઠેનું ગુજરાત સાથે ઋણાનુબંધ રહ્યું છે, કચ્છના ભૂકંપમાં કરી હતી કામગીરી 


તમામ ધારાસભ્યોમાં સચિન પાયલટ જૂથના 3 ધારાસભ્યો અને 2 અપક્ષો પણ હોવાની વિગતો મળી રહી છે. જોકે આ ધારાસભ્યોના ચોક્કસ સ્થાન વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેનું અત્યાર સુધીનું મૌન ભાજપ માટે અકળાવનારું હતું અને તેમનું સમર્થન ગેહલોત સરકારને હોય તે પ્રકારનો મેસેજ જઈ રહ્યો હતો. જેના કારણે ભાજપે ગઈકાલે મોડી સાંજે મેવાડના 5થી વધુ ધારાસભ્યોને ગુજરાત ખસેડવા માટે રણનીતિ ઘડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર