રાજકોટ: રંગીલા રાજકોટમાં ફરી એક વખત સામાન્ય વાતમાં હત્યાની ઘટના સામે આવી છે. ડોર બેલ વગાડવા પ્રશ્ને 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. સાંભળીને નવાઈ લાગીને... પરંતુ વાત એકદમ સાચી છે. જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે હત્યાની ઘટના બની છે. ગાંધીગ્રામ પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે હત્યાની ઘટના બની છે. જેમાં ગત સાંજે 70 વર્ષીય કિરીટ ભાઈ શાહ અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસના ઘરે બુક લેવા ગયા હતા. જ્યાં અભયના એપાર્ટમેન્ટનું ડોર બેલ વગાડતા તેણે ડોર ખોલ્યો નહોતો. ત્યારબાદ વૃદ્ધ ત્યાંથી નીકળી પોતાના એપાર્ટમેન્ટ તરફ જતા હતા. તે દરમ્યાન "તે મારી ડોર બેલ કેમ વગાડીને મારી નીંદર બગાડી" કહી અભય વ્યાસે વૃદ્ધ પર હુમલો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપી પહેરજો પણ કોઈને ટોપી પહેરાવતા નહીં, ગુજરાત ભાજપના સૌથી મોટા નેતાએ કાર્યકરોને કેમ આવી આવી સુચના?
  
આરોપીએ વૃદ્ધ પર બોથડ પદાર્થ વડે હુમલો કરતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસે આરોપી અભયને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. પોલીસની તપાસમાં આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube