રક્ષિત પંડ્યા, રાજકોટ: અનલોક 1માં સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ આજથી ધાર્મિક સ્થળો, મોલ અને હોટલ રેસ્ટોરન્ટ્સને ખોલવાની મંજૂરી આપવામાં આવેલી છે. આ ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો ફરીથી દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે. કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પણ આજથી ખુલ્લું મુકવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: અઢી મહિના બાદ ખુલ્યું હરણીનું ભીડ ભંજન હનુમાન મંદિર, ભક્તો ખુશખુશાલ, જુઓ PICS


સરકારના નિયમ અને ગાઇડલાઈન મુજબ ખોડલધામ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે. દર્શનાર્થીઓનું તાપમાન ચકાસી , માસ્ક પહેર્યા બાદ જ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ બાજુ આજથી ધાર્મિક સ્થળો ખુલતાની સાથે જ ભક્તો દર્શનાર્થે મંદિરે પહોંચવા માંડ્યાં. 



રાજ્યભરના મંદિરો આજથી ખુલ્યા પણ અમદાવાદના આ બે સુપ્રસિદ્ધ મંદિરો હજુ પણ દર્શનાર્થીઓ માટે બંધ


પંચનાથ મંદિરમાં હટાવી લેવાયા તમામ ઘંટ
ઝી 24 કલાકે પંચનાથ મંદિરની મુલાકાત લીધી જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે હેતુથી સ્ટીકર લગાવવામાં આવ્યાં છે. આ સાથે જ કોઈ વ્યક્તિ ઘંટ ન વગાડે તેથી મંદિરના તમામ ઘંટ પણ હટાવી લેવાયા છે. મંદિરના ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે. ભજન કિર્તન પણ નહીં કરવા દેવાય. ઉલ્લેખનીય છે કે રાજકોટ કાલાવાડ સ્થિત સ્વામીનારાયણ મંદિર આગામી 15 જૂનથી ખોલવામાં આવશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube