• વધતા કેસોને જોતા ઈએનટી સર્જન એસોસિયેશન દ્વારા સિવિલમાં નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ણય કરાયો

  • રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના ઈએનટી સર્જન સિવિલમાં ફ્રીમાં સેવા આપશે
રાજકોટની સિવિલમાં દર્દીઓ માટે અત્યારે 1 ઇએનટી સર્જન દ્વારા ઓપરશન કરવામાં આવે છે. આગામી દિવસોના વધુ બે ઇએનટી સર્જન ભાવનગરથી રાજકોટ સિવિલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ રાજકોટથી ભાવનગર બદલી થયેલા વે સર્જનને ફરી રાજકોટ બોલાવવામાં આવશે. ખાનગી ઇએનટી સર્જન પણ વારાફરતી સિવિલ હોસ્પિટલમાં આવી ઓપરેશન કરશે. આ ઉપરાંત વધતા કેસોને જોતા ઈએનટી સર્જન એસોસિયેશન દ્વારા સિવિલમાં નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : ગુજરાતના એક શહેરે 30 મે સુધી લંબાવ્યુ લોકડાઉન


રાજકોટમાં રોજ 50 થી વધુ કેસ આવે છે 
તો બીજી તરફ રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને આ મામલે નિવેદન આપ્યું કે, રાજકોટમાં વધતા મ્યુકોરમાઇકોસિસના કેસને લઈ તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટમાં એવરેજ રોજના 50 જેટલા કેસો સામે આવી રહ્યા છે. ખાનગી 22 ડોક્ટરોની ટીમ સિવિલમાં મદદ કરશે. હાલ 500 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ જરૂર પડ્યે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો : ‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું...’ એક વીડિયો મીતના મોતનું કારણ બન્યો


તેમણે કહ્યું કે, રાજકોટ શહેર અને જિલ્લાની 14 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રી અને ધારાસભ્યો અને સાંસદની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે. તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિત CHC, PHC અને નગરપાલિકાઓ વિસ્તારની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.