રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લાંચ-રુશ્વત સ્વીકાર્યા અંગેના ગંભીર આરોપો મૂક્યા બાદ હડકંપ મચી ગયો હતો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારની આબરૂના પણ ધજાગરા ઉડ્યા હતા. ત્યાર બાદ ભાજપના સાંસદ રામ મોકરીયા પણ ખુલીને ગોવિંદ પટેલના સમર્થનમાં આવ્યા હતા. આ ઘટના બાદ તો જાણે ફટાકડાની લુમ હોય તે પ્રકારે એક પછી એક તોડકાંડની ફરિયાદો આવવા લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર શરૂ કરી ભેદી પ્રવૃતિ? ગુજરાત બોર્ડર પર ભેદી ધડાકાથી તંત્ર દોડતું થયું


રાજકોટ ક્રાઇમબ્રાંચ જાણે કે પોલીસ કમિશ્નરનું ઉઘરાણા કરતી સંસ્થા બની ગઇ હોય તે પ્રકારે જમીન મકાનનાં સોદાઓ અને ફસાયેલા નાણાની પતાવટનો ધંધો ચલાવતા હોવાના આક્ષેપો કર્યા હતા. અનેક બિલ્ડરો અને અનેક સામાન્ય નાગરિકોએ પણ આ અંગે ફરિયાદો કરી હતી. પત્ર વાયરલ થયા બાદ ગુજરાત સરકાર પર પણ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જેના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ અસરથી જે પી.આઇ પર આરોપો લાગ્યા હતા તે ત્રણેય પીઆઇની બદલી કરી નાખી હતી. ઉપરાંત રાજકોટનાં પીએસઆઇ સહિતનાં તમામ સ્ટાફની બદલીઓનો દોર પણ ચલાવ્યો હતો. 


આ ગામના લોકોએ શરૂ કર્યું પોતાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન! કહ્યું પોલીસ પર ભરોસો કરવામાં કંઇ માલ નથી


જો કે લાંબા સમયતી કમિશ્રન મનોજ અગ્રવાલ સામે કોઇ કાર્યવાહી નહી થતા અસંતોષ જોવા મળી રહ્યો હતો. જો કે આજે અધિકારીક રીતે મનોજ અગ્રવાલની બદલી કરી નંખાઇ હતી. આરોપો બાદ ભુગર્ભમાં ઉતરી ગયેલા અગ્રવાલની આજે જુનાગઢની પોલીસ ટ્રેનિંગ સ્કુલમાં આસિસ્ટન આઇજી તરીકે બદલી કરી દેવાઇ હતી. સ્ટેટ રિઝર્વ પોલીસ ટ્રેનિંગ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે તેમને મુકી દેવાયા હતા. આઇપીએસ ખુર્શીદ અહેમદને કમિશ્નર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube