ગૌરવ દવે, રાજકોટઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની ચોથી મેચ રાજકોટમાં રમાવાની છે. 17 જૂને રમાનારી મેચ પહેલાં બંને ટીમોએ આજે પ્રેક્ટિસ કરી હતી. બપોરે 1 કલાકે સૌથી પહેલા આફ્રિકાની ટીમ પ્રેક્ટિસ માટે પહોંચી હતી. મહત્વનું છે કે પાંચ મેચોની સિરીઝમાં ભારતીય ટીમ 1-2થી પાછળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકાની ટીમની પ્રેક્ટિસ બાદ ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જેએ પત્રકારો સાથે વાત કરી હતી. આફ્રિકાના ફાસ્ટ બોલરે કહ્યુ કે, ભારત સામે આ સિરીઝ મહત્વની છે. અમે શ્રેણી જીતવાનો પ્રયાસ કરીશું. તેણે કહ્યું કે, હાલ અમારી ટીમ સારા ફોર્મમાં છે. નોર્ત્જેએ કહ્યુ કે, આવતીકાલે પીચ અને વાતાવરણ જોઈને ટીમ મીટિંગમાં રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. 


Team India માં જગ્યા ન મળવાથી નારાજ છે આ ખેલાડી, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ


આફ્રિકા સિરીઝમાં 2-1થી આગળ
ભારતીય ટીમ આ સિરીઝમાં પોતાના કેટલાક સ્ટાર ખેલાડીઓ વગર મેદાનમાં ઉતરી છે. ત્યારે ટીમની કમાન રિષભ પંત સંભાળી રહ્યો છે. આફ્રિકાએ પ્રથમ અને બીજી ટી20માં ભારતને પરાજય આપ્યો હતો. જ્યારે ત્રીજી ટી20માં ભારતે 48 રને જીત મેળવી હતી. હાલ આફ્રિકાની ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube