ઝી બ્યૂરો અમદાવાદઃ ભાવનગરના પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્રનું નિધન. શિવભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા. જેમને લોકો મહારાજકુંવર તરીકે ઓળખતા હતા. તેમના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવશે. દેશ અને દુનિયાભરના અલગ અલગ સ્થળોએ રહેતાં તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે ભાવનગર આવશે. તમામ સ્વજનોને કરી દેવાઈ છે મહારાજકુંવરની વિદાય અંગેની જાણ. આજે બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી ભાવવિલાસ પેલેસમાં દર્શન માટે રખાશે પાર્થિવદેહ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહના પુત્ર શિવભદ્રસિંહ ગોહિલે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. શિવભદ્રસિંહ ગોહિલની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી. શિવભદ્રસિંહના પાર્થિવ દેહને તેમનાં બોરતળાવ ખાતેના ભાવ વિલાસ પેલેસ ખાતે લોકોને દર્શન માટે રાખવામાં આવશે. શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. મહત્વનું છે કે, શિવભદ્રસિંહજી ગોહિલ કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા જે મહારાજ કુંવર તરીકે ઓળખાતા હતા.


શિવભદ્રસિંહ ગોહિલનો જન્મ ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં ડિસેમ્બર 23, 1933 ના રોજ થયો હતો. તેમણે પોતાને વારસામાં ભાલનાં વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે. તેઓ 1962 થી 1972 દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. 


સ્વાધ્યાય પરીવારનાં પાંડુરંગ આઠવલેજીના સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસ્તિ ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદીરના તેઓ ટ્રસ્ટી છે.