મુસ્તાક દલ/જામનગર: વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં સંત શ્રીપ્રેમભિક્ષુજી મહારાજની નિશ્રામાં શરૂ કરવામાં આવેલ શ્રી અખંડ રામધૂન આજે 60માં વર્ષમાં પ્રવેશ કર્યું છે. આ પ્રસંગે આજે સાંજે મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જાપાનીઓએ સ્વીકાર્યો જૈન ધર્મ, જાપાનમાં જૈનાલય બનાવ્યું, મૂર્તિ લેવા ખાસ આવ્યા ગુજરાત


જામનગરમાં તળાવની પાળ ખાતે આવેલા શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલા હનુમાન મંદિરમાં સંતશ્રી પ્રેમભિક્ષુજીની પ્રેરણા અને નિશ્રામાં શ્રી રામ જય રામ જય જય રામ મંત્રીની અંખડ ધૂનનો 1 ઓગષ્ટ 1964ના રોજ મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. 


નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકસાન, કંપનીના બે પૂર્વ કર્મચારીઓએ કર્યો મોટો કાંડ


આ અખંડ રામધૂનને લીધે શ્રી બાલા હનુમાન મીદર ગ્રિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન મેળવી ચુકયું અને તેથી જ દેશ-વિદેશના લોકો જામનગરની મુલાકાત દરમ્યાન શ્રી બાલા હનુમાન મંદિરે દર્શન કરવા આવે છે. આ મંદિરમાં દિવસ-રાત સતત 24 કલાક રામધૂનનું સ્મરણ કરવામાં આવે છે. 



ખેડૂતોને નો ટેન્શન! 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ, કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ?


59 વર્ષ દરમ્યાન કરોડો મંત્રનું ઉચ્ચારણ થઇ ચુકયું છે. અનેક ભકતો નિયમિત રામધૂનમાં દરરોજ સમયદાન આપી ભકિતનું રસપાન કરવાનો લાભ લઇ રહ્યા છે. આ રામધૂનની વિશેષતા એ છે કે વાવાઝોડું, ધરતીકંપ, કાળઝાળ ગરમી, ભારે વરસાદ, કાતિલ ઠંડી હોય કે કોરોનાકાળ દરેક સંજોગોમાં આ રામધૂનનો નિયતક્રમ અતુટ રહ્યો છે. 



PM મોદીને મળીને ખડખડાટ હસ્યા પવાર, પીઠ પર ફેરવ્યો હાથ, 2024 પહેલા શું કહે છે આ તસવીર


આજે આ અખંડ રામધૂન ૫૯ વર્ષ પૂર્ણ કરીને ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગ નિમિત્તે આજે સાંજે સાડા સાતથી આઠ દરમ્યાન મહાઆરતી કરવામાં આવશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.