જાપાનીઓએ સ્વીકાર્યો જૈન ધર્મ, જાપાનમાં જૈનાલય બનાવ્યું, મૂર્તિ લેવા ખાસ આવ્યા ગુજરાત

Surat News ચેતન પટેલ/સુરત : જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુ મંદિર બનવા જઈ રહ્યું છે. જાણીને આશ્ચર્ય થશે પરંતુ જાપાનમાં આશરે પાંચ હજાર વઘુ લોકો જૈન ધર્મનું પાલન કરી રહ્યા છે અને આતુરતાથી જૈનાચાર્ય જયંતસેન સૂરીશ્વરજીની ગુરુમુર્તિની રાહ જોઈ રહ્યા છે. જાપાનના લોકો જે હાલ જૈન ધર્મને અંગીકાર કરી ચૂક્યા છે. આ લોકો બનાસકાંઠા પહોંચી ગયા છે અને પોતાના ગુરુની પ્રતિમા જાપાનમાં સ્થાપિત કરવા માટે આતુર છે. જાપાની મનોવૈજ્ઞાનિક ડોક્ટર ચુરૂસુ જૈન ધર્મથી પ્રભાવિત થઈ હાલ તુલસી બની ગઈ છે અને તેઓ પણ ગુરુ મહારાજની પ્રતિમા લેવા માટે ગુજરાત આવી છે. તુલસીના કારણે જ જાપાનમાં હજારોની સંખ્યામાં લોકો જૈન ધર્મથી પ્રભાવિત થયા છે. ગુરુજીની પ્રતિમા જાપાન લઈ જવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા છે. જેમાં ગુરુજીની પ્રતિમાની પણ ટિકિટ કઢવામાં આવી છે. 

1/7
image

આગામી તારીખ 31 જુલાઇએ જાપાનથી આવેલા લોકો બનાસકાંઠાના નેનાવાથી જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વરજીની ગુરુમૂર્તિને વિમાન મારફતે જાપાન લઇ જશે. જાપાનમાં જૈનાચાર્યની પ્રેરણાથી હજારો લોકો માંસાહાર ત્યાગ કરી ચૂક્યા છે. જૈન શાસનની અભૂતપૂર્વ ઘટનાઓ પૈકીની એક ઘટના હાલમાં જ ગુજરાતમાં સાકાર થઇ રહી છે. જાપાનમાંથી એક ગ્રુપ ગુજરાત આવ્યુ છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના નેનાવા ગામમાંથી જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વરજીની ગુરુ મૂર્તિને વિમાન મારફતે જાપાન લઇ જવાના છે. જ્યાં મૂર્તિનું સ્થાપન કરીને પૂજા ભક્તિ કરાશે. 

2/7
image

આ જાપાનીઝ ગ્રુપ જૈન વિચારધારાથી પ્રભાવિત છે. માત્ર આ ગ્રુપ નહિ જાપાનમાં હજારો લોકો જૈન ધર્મના આચાર વિચાર પાળે છે. જાપાનીઝ ગુરુદેવ અને જૈન ધર્મથી કઇ રીતે પ્રભાવિત થયા એ વિશે અમૃતભાઇ વધુમાં જણાવ્યુ હતુ કે, વર્ષ 2005 માં જાપાનથી એક ગ્રુપ ભારતમાં રાજસ્થાનના પ્રવાસે આવ્યુ હતું. એ ગ્રુપમાં એક મહિલા હતી, જેનું નામ ચૂરુસુ હતું. એમના ગાઈડના કહેવાથી તેઓ જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વજીના દર્શન માટે ગયા. જ્યાં ગુરુદેવની વાણી વર્તનથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. ગુરુદેવે ચૂરૂસીને નવકાર મંત્ર પણ આપ્યો અને જાપ કરવા કહ્યું. બાદમાં જાપાન પરત ફર્યા પછી ત્રણ મહિના બાદ ફરી તેઓ ભારત આવ્યા અને ગુરુદેવના દર્શન કર્યા. 

3/7
image

નવકાર સિદ્ધ કરવાની ગુરુજીની આજ્ઞાથી ચુરુસુએ દરરોજ 15 થી 18 કલાક જાપ શરૂ કર્યા. હિન્દી પણ શીખી લીધું. ગુરુદેવ એમને નવુ નામ તુલસી આપ્યુ. તેઓ મનોચિકિત્સક હતા. તુલસીએ એક રીતે હવે પુર્ણ પણે જૈન બની ગયા. એટલું જ નહીં તેમણે જાપાનમાં જૈન ધર્મનો પ્રચાર શરૂ કર્યો. એમના પ્રતાપે જાપાનમાં 5000 થી વધુ લોકોએ માંસાહારનો ત્યાગ કર્યો છે. છેલ્લા છ વર્ષથી જાપાનમાં નિયમિત સાંજે ગુરુ આરતી થાય છે, તો દર મહિને ગુરુદેવની પુણ્યતિથિ મનાવવામાં આવે છે. 

4/7
image

જાપાનમાં ડો.તુલસી નાં નવકાર જાપ આજે પણ દિવસમાં 8 કલાકથી વધુ ચાલે છે. દરરોજ 108 મણકાની એક માળા એવી 108 માળા જાપ કરે છે. અભ્યાસથી સાયકોલોજીસ્ટ ડો. તુલસી ગુરુજીના કહેવા અનુસાર દર્દીને દવા નહિ પણ નવકાર આપે છે. જેનાથી હજારો દર્દી સાજા થયા છે. પેરાલિસિસમાં પણ મંત્રના સારા પરિણામ મળ્યા છે. ડો. તુલસીને જૈનાચાર્યએ કહ્યું કે, દીક્ષા બાદ તમે ભારત નહિ છોડી શકો. ને તમારે જાપાનમાં ધર્મના ઘણા કામ કરવાના છે. 

5/7
image

6/7
image

7/7
image