Loksabha Election 2024 : એક જ દિવસમાં ભાજપના બે ઉમેદવારોએ પરત ખેંચી ઉમેદવારી છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. પોસ્ટર અને પત્રિકાના કાંડે રંજનબેનની ઉમેદવારીનો ભોગ લીધો છે. વડોદરામાં જ્યોતિબેન અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયું અને રંજનબેને ઉમેદવારી પરત કરી તેવી ચર્ચા વહેતી થઈ છે. ઉમેદવારી જાહેર થયાના માત્ર 10 દિવસમાં રંજનબેનના વળતા પાણી થયા છે. ત્યારે રંજનબેન મીડિયા સામે આ વાત કરતા ગળગળા થઈ ગયા હતા. 


 


ભાજપનો નવો પ્રયોગ : લોકસભામાં ઉમેદવારો બદલવાનો નવો ખેલ, બે ગયા હવે કોનો વારો