ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,410 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2,642 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,23,371 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 87.96 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- Exclusive: સિવિલના 1200 બેડનું કોવિડ સેન્ટર ફૂલ, જાણો કેવી છે દર્દીઓની સ્થિતિ અને શું કહે છે ડોક્ટર્સ


અત્યાર સુધીમાં 85,29,083 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 12,03,465 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 97,32,548 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,18,004 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 39,630 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


આ પણ વાંચો:- Rajkot: કોરોના દર્દીનો વીડિયો વાયરલ, કહ્યું- મને કાંઈ પણ થશે તો જવાબદારી ડોક્ટર અને મુખ્યમંત્રીની


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 39,250 એક્ટિવ દર્દી છે, જે પૈકી 254 લોકો વેન્ટિલેટર પર છે અને 38,996 લોકો સ્ટેબલ છે. 3,23,371 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4,995 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનનાં 24, સુરત કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 7, વડોદરા કોર્પોરેશન 6, રાજકોટ 2, સાબરકાંઠામાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ડાંગમાં 1, ગાંધીનગરમાં 1, જૂનાગઢમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને વડોદરામાં 1 દર્દી સાથે કુલ 73 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube