ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો છે. બે દિવસમાં આપના ઘણા અગ્રણી નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ સિલસિલો આગળ પણ યથાવત રહે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. બે દિવસમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. જેના કારણે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ચહેલ પહેલ વધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત: બસ ખીણમાં પડતાં 7 યાત્રાળુઓના મોત, 27 ઘાયલ


શનિવારે ખેડા, અમદાવાદ અને જેતપુરના આપના 20 જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. તેના બીજા જ દિવસે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો, કેમ કે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી આપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા. આ ઉપરાંત ફતેપુરા બેઠકથી AAPના ઉમેદવાર રહેલા ગોવિંદ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો.


ગુજરાતમાં ફરી એકવાર મોસમે કરવટ બદલી! આ જિલ્લાઓમાં ઘટાટોપ વાદળો ફાટશે, થશે જળબંબાકાર


ભેમાભાઈ ચૌધરીનું રાજીનામું આમ આદમી પાર્ટી માટે મોટું નુકસાન છે. 2012થી આપ સાથે સંકળાયેલા ભેમાભાઈ ઉત્તર ગુજરાતમાં આપનો ચહેરો હતા. તેમણે વિધાનસભાં સહિતની ચૂંટણીઓમાં સક્રિય ભુમિકા ભજવી હતી. GFXOUT જો કે લોકસભાની ચૂંટણી પહેલાં જ તેમણે આપને ઝટકો આપ્યો છે. તેમણે આપના નેતૃત્વ પર નિષ્ક્રિય રહેવાનો આક્ષેપ કર્યો છે. 


કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, 6 મહિનાની સજા માફ


શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસમાં સક્રિયતા વધી છે. એક રીતે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે. શક્તિસિંહ આ ભરતીને જનતા માટેનો સેવાયજ્ઞ ગણાવે છે. રવિવારે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જન્મતિથી પણ હતી, ત્યારે શક્તિસિંહે દેશ માટે તેમના યોગદાનને યાદ કરતાં ભાજપ પર નિશાન પણ સાધ્યું હતું.


ધૃણાસ્પદ ઘટના: 70 વર્ષના ફુવાએ 4 વર્ષની ભત્રીજી પર નજર બગાડી; નિર્વસ્ત્ર કરી દુષ્કર્


લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાના સંગઠનમાં જોમ ભરવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ગુજરાતથી જ શરૂ કરવાના છે, ત્યારે કોંગ્રેસમાં સક્રિયતા જોઈ શકાય છે, આ સક્રિયતા કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં કેટલી ફળે છે, તે જોવું રહેશે.


સગીરા પર દુષ્કર્મ: ગેનીબેને કહ્યું; બાળકી પર દુષ્કર્મ થયું તે ગેસ્ટહાઉસ અમરત માળી..'