સુરત : શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીને રૂપિયા 3,904 કરોડના ખર્ચે નવજીવન આપવાની સાથે જ સુરતની 33 કિમી લાંબી તાપી નદીના બંને કિનારાનો વિકાસ કરીને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. તાપી રિવર ફ્રન્ટને અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની તર્જ પર વિકસાવવામાં આવશે. આ રિવર ફ્રન્ટ સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો હશે, કારણ કે અહીં રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા પણ વિકસાવવામાં આવશે. હાલમાં જ રાજ્ય સરકારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SPVની રચના માટે મંજૂરી આપી હતી. તાપી રિવર ફ્રન્ટ અને કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં શહેરના બ્યુટિફિકેશનના નવા આયામો સાકાર થશે. મુખ્યપ્રધાને આ હેતુ માટે 10 કરોડની અધિકૃત મૂડી સાથે તાપી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચનાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA: ગૃહમંત્રી આગળ પીડિતાના પિતાની હૈયા વરાળ, 1 મહિનો છતા કોઇ નક્કર પરિણામ નહી


SPV બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિસિપલ કમિશનર રહેશે. SPVના 9 નિર્દેશકોમાંથી 3ની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1,236 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સુડાના CEOને પણ ડાયરેક્ટર બનાવવામાં આવશે. શહેરમાં તાપી નદીની લંબાઈ 33 કિમી છે. પ્રોજેક્ટ બે તબક્કામાં હશે. પ્રથમ તબક્કામાં 1236 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે બીજા તબક્કામાં 2,668 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વિશ્વ બેંકના 1,991 કરોડના 70 ટકાની 'સોફ્ટ લોન' મળશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા 5-5 કરોડ રૂપિયા આપશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,904 કરોડ રૂપિયા છે. નદી પર કન્વેન્શન બેરેજ બનાવવામાં આવશે.


GUJARAT CORONA UPDATE: રાજ્યમાં ધીરે ધીરે વિકરાળ થતો કોરોનાનો આંકડો, 36 દર્દી સાજા થયા


જે માટે ફરીથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં કન્વેન્શન બેરેજના ઉપરના વિસ્તારને સિંગણપોર વિયર સુધી વિકસાવવામાં આવશે, જેની લંબાઈ લગભગ 10 કિમી હશે. બીજા તબક્કામાં 23 કિલોમીટરની ત્રિજ્યામાં વિશાળ પાણીનું તળાવ બનાવવામાં આવશે. ફેઝ-2માં સિંગણપોર વિયરથી કાદરી સુધી ગાર્ડન-ફ્લડ કન્ઝર્વેશનનું કામ કરવામાં આવશે. સિંગનપોર વિયરથી કઠોર પુલ સુધી નદીની બંને બાજુએ વોકવે, સાયકલ ટ્રેક, ગ્રીન સ્પેસ, ઓવરબ્રિજ, બગીચા, મનોરંજન પાર્ક અને અન્ય જાહેર સુવિધાઓનો વિકાસ અને પૂર સંરક્ષણ લાઇનનું નવીનીકરણ પણ કરવામાં આવશે. 


એમિક્રોનના એક કેસે રાજ્ય સરકારની ઉંઘ ઉડાડી! CM ની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર


આ સાથે નદી કિનારે રોડ બનાવવામાં આવશે, જેનાથી લોકોને સુવિધા મળી રહેશે. નદીના બંને કાંઠે મનોરંજન, પરિવહન અને પ્રવાસન માટેની વિવિધ સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે. વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ હશે. રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણથી શહેરની સુંદરતા અને આભામાં અનેકગણો વધારો થશે. શહેરવાસીઓ અને પ્રવાસીઓને નવી સુવિધાઓ મળશે. નદીના બંને કાંઠે વિવિધ પ્રકારના છોડ વાવીને આકર્ષક બનાવવામાં આવશે. નદીના પાણી અને જમીનની વ્યવસ્થા કરીને પૂરને રોકવા માટે પગલાં લેવામાં આવશે. નદીને સ્વચ્છ રાખવાની સાથે પ્રદૂષિત પાણીને નદીમાં આવતા અટકાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube