હરિન ચાલીહા / દાહોદ : દાહોદ જિલ્લામાં એક અનોખો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે. તેમ છતાય યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખુબજ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર માનવતા હોય છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'એક બાજુ જન શક્તિ છે, તો બીજી બાજુ ધન શક્તિ છે, તમે મારુ મતનું મામેરું ભરજો'


અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે


આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એમાની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે.


ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી


આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે. જોકે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યારબાદ શરુ થાય છે. ખરો ખેલ ગામના કુવારા યુવકો સિમળાના ઝાડના થડની આજુ બાજુ ગોઢવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે. 


વેબ સિરીઝની મોડલોને હોટલમાં બોલાવી મઝા માણતા હતા સુરતીલાલાઓ! એક ભૂલથી પર્દાફાશ


ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતો જ રહ્યો છે


જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશિશ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે અને તેમ છતાય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે. જોકે હાલ આ પ્રથા રહી નથી, પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો. હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતો જ રહ્યો છે. 


પાટનગરના વિકસિત ગામનો ચોંકાવનારો સામાજિક સર્વે, જાણશો તો મોંઢામાંથી નિકળી પડશે ઉદગાર


જૂની અને આગવી પરંપરાઓ ભૂલી ગયો છે


આમ તો ગોળ ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાંનાથી જ ચાલતો આવે છે કારણ કે એવી માન્યતા છે કે કોઈ વિરલો જ આટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ પર પહોચી શકે છે અને તે પોતાની પત્નીને તથા પરિવારને રક્ષણ આપી શકે છે, માટે આજે પણ આ વર્ષો જૂની પરંપરાને ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. જોકે આજે આ મેળો  એ પોતાની જૂની અને આગવી પરંપરાઓ ભૂલી ગયો છે, પરંતુ આજે પણ આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહિયાં ઉમટી પડે છે. 


50 વર્ષ બાદ રાહુ અને શુક્રએ બનાવ્યો રાજયોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકશે


આજે આદિવાસી પરંપરાઓ ભૂલાઈ જવાની આરે છે, ત્યારે આ રીતના આયોજનથી ભાવી પેઢી પણ આધુનિકતાની દોડમાં પોતાની પરંપરાના ભૂલે તેના માટે જ આવા આયોજનો થવા યોગ્ય પણ છે.