Gujarat Poltics : સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ છે. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં પણ કોઈ સમાધાન આવ્યું નથી. સમાજના આગેવાનોએ સરકારને એકસૂરે કહી દીધુ કે, રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાય. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ જ થવી જોઈએ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મધરાતે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર જોવા મળ્યો. બે વાગ્યા સુધી સરકાર સાથે ગાંધીનગરમાં બેઠક બાદ પણ ક્ષત્રિયો ઝૂક્યા ન હતા. આ બાદ રાતે બે વાગ્યા પછી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા અમદાવાદના ગોતા વિસ્તારમાં બેઠક યોજાઈ હતી. હવે ગુજરાત હાઇકમાન્ડ કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણય કરશે. વચગાળાનો રસ્તો કાઢવાની ભાજપના નેતાઓની માંગણી નામંજૂર કરાઈ છે. તો બીજી તરફ, આજે રૂપાલાનો ફોર્મ ભરવાનો દિવસ છે. આજે ભવ્ય રેલી અને સભા બાદ રૂપાલા 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે. રૂપાલા નોમિનેશન પહેલાં રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે સભા ગજાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં કોઈ નિવેડો નહિ આવ્યો
પહેલીવાર એવું બન્યું કે, સરકાર અને પાર્ટીએ કોઈ સમાજ સાથે મોડી રાત સુધી બેઠકો યોજી હોય, અને છતા કોઈ નિષ્કર્ષ આવ્યો ન હોય. ક્ષત્રિય સંકલન સમિતિની CM સાથે મોડી રાતે 2 કલાક બેઠક ચાલી હતી. ક્ષત્રિય સંકલન સમિતિ સાથે અઢી કલાક સુધી બેઠક ચાલી હતી. પરંતુ કોઈ નિવેડો ન આવતા સરકાર તરફથી ફરીવાર બેઠક માટે આમંત્રણ અપાયું છે. બે દિવસમાં ફરી સરકાર સાથે ક્ષત્રિય સમાજની બેઠક થશે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. સરકારની ચર્ચામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ટસના મસ ન થયા. ત્યારે સરકારે સંકલન સમિતિને ભોજનનું પણ આમંત્રણ આપ્યું છે. 


ગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતા


રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે પણ ભાજપનો વટ પડી ભાંગશે! રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે


સરકારે ફરી બેઠક માટે આપ્યું આમંત્રણ
આમ, રાજ્ય સરકારનું ફરીથી ક્ષત્રિય સંકલન સમિતિને ફરી આમંત્રણ અપાયું છે. 2 દિવસ બાદ ફરીથી રાજ્ય સરકાર સાથે ફરી બેઠક થઈ શકે છે. રાજ્ય સરકારનું ફરીથી ક્ષત્રિય સંકલન સમિતિને આમંત્રણ અપાયું છે. સરકાર સાથે અઢી કલાક સુધી સંકલન સમિતિની બેઠક તો ચાલી, પણ કોઈ નિવેડો આવ્યો નથી. જેથી સંકલન સમિતિને સરકારે ભોજન માટે આમંત્રણ આપ્યું છે.


મધરાતે રૂપાલાનું ટ્વીટ 
એક તરફ મધરાત્રે રૂપાલાનું ટ્વીટ અને બીજી બાજુ મળી બેઠક કંઈ અજીબ સંયોગ સર્જાયો હતો. મધરાત્રે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી. મોડી રાત્રે 1.48 કલાકે પરસોત્તમ રૂપાલાએ ટ્વીટમાં લખ્યું કે, રાજકોટના દિલમાં ફક્ત ભાજપ છે.  4 જૂનના રોજ ભાજપ 400 પાર કરવા જઈ રહ્યું છે. 


અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડ