અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમણના કેસને જોતા AMC દ્વારા ચાની કિટલી બાદ પાનના ગલ્લાઓ પણ બંધ કરવા માટે આદેશ અપાયો છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની 200થી વધારે ટીમ બનાવીને શહેરનાં સાત ઝોનનાં 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓ અને ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાના કારણે નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રેકોર્ડબ્રેક 1410 દર્દી, 16નાં મોત, 1,01,101 કુલ સ્વસ્થ થયા

આ અંગે AMC સોલિડ વેસ્ટ વિભાગનાં ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, કોરોના જતો રહ્યો હોય તે પ્રકારે લોકોના ટોળેટોળા પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પર ઉભા રહે છે. શહેરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. બે દિવસથી આ અંગેની કામગીરી ચાલી રહી છે. લોકો તરફથી અમને વારંવાર અરજીઓ મળી રહી છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. શનિવાર તથા રવિવાર સુધી આ કામગીરી યથાવત્ત ચાલુ રહેશે. 


સુરેન્દ્રનગર: અતિવૃષ્ટિ અને સરકારની ઉદાસીનતાએ વધારે એક ખેડૂતનો ભોગ લીધો

સોલંકીના અનુસાર AMC દ્વારા ટુંક સમયમાં જ ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ માટે SOP બનાવવામાં આવશે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઇ પણ નિયમોનો ભંગ થતો જોવા મળશે તો તુરંત જ દુકાન સીલ કરવામાં આવશે. ચાની કિટલી બંધ કરાવવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube