સુરત: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો સહિત છ લોકોના મોત થયા. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રસ્તા કિનારે ઊભેલા કન્ટેનર ટ્રક સાથે  ધડાકાભેર અથડાઈ. મૃતકોમાં પતિ પત્ની અને બે બાળકો પણ સામેલ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ અકસ્માત અયોધ્યા-લખનઉ હાઈવે પર નારાયણપુર ગામ પાસે થયો. 


સુરતનો હતો પરિવાર
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ પરિવાર સુરતનો હતો જે વિવાહમાં સામેલ થવા માટે અયોધ્યા આવી રહ્યો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. વાહનોને કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube