ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં કોરોનાના કેસોમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. આ કારણે સુરતમાંથી અન્ય જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવતી-જતી તમામ બસો બંધ કરવામાં આવી છે. આગામી 10 દિવસ સુધી સુરત માટેની બસ સેવા બંધ રહેશે. આ નિર્ણય એસટી અને ખાનગી તમામ બસો માટે કરવામાં આવ્યો
છે. સોમવારથી 10 દિવસ માટે બસ સેવા સ્થગિત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉચ્ચ કક્ષાએ થયેલ સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ તથા ખાનગી બસ સેવાનું સંચાલન હાલ પૂરતું સ્થગિત કરી દેવાયું છે. આવતીકાલે 27 જુલાઈથી 10 દિવસ માટે બસ સંચાલન સ્થગિત કરાયું છે. આ સમયગાળામાં અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન તથા ટ્રક રાબેતા મુજબ ચાલુ રહેશે.


ઉલ્લેખનીય છે કે, સરકારની ગાઈડલાઈન મુજબ એસટી બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, બસોનું સેનેટાઈઝેશન વગેરે સહિત સમગ્ર રાજ્યમાં સતત કરાય છે. જેથી મુસાફરોમાં સંક્રમણ ન ફેલાય. 


સુરતમાં 24 કલાકમાં 181 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો 10 દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. 181 માંથી રાંદેર ઝોનમાં સૌથી વધુ 43 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર