ગાંધીનગરઃ ઉર્જા મંત્રી સોરભભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજયના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સમૃધ્ધ બને એ માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ગુણવત્તાયુકત અને સમયસર વીજળી પુરી પાડવામા આવી રહી છે. ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમા ધરખમ વધારો યયો છે ગઈકાલે માત્ર એક જ દિવસ માં 10.3 કરોડ યુનિટસ ખેડૂતોને પૂરા પડાયા છે.  જે ગત વર્ષે  અપાયેલ 9.3 કરોડ દૈનિક વીજળી યુનિટસ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉર્જામંત્રીએ ઉમેર્યુ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સહાયરૂપ થવા અનેક કૃષિ હિતલક્ષી નિર્ણયો કરાયા છે જેના પરિણામે ખેડૂતો વધુને વધુ ખેતી કરતા થયા છે.


આ પણ વાંચોઃ સાબરમતી મધ્યસ્થ જેલમાં ઈ-ફાઈલિંગ સિસ્ટમનું થયું લોકાર્પણ, કેદીઓને થશે ફાયદો


રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાયેલ હોવાથી ખેડૂતોનાં વાવેતરને બચાવવા માટે રાજય સરકારે ખેડૂતોને તારીખ 7 જુલાઈ 2021 થી 8 કલાક ને બદલે 10 કલાક વીજળી આપવાનો મહત્વનો નિર્ણય કરીને ખેડૂતોના પડખે સરકાર ઉભી રહી છે. જેના પરિણામે આ શકય બન્યુ છે. સામાન્ય સંજોગોમાં દૈનિક સરેરાશ સાડા છ થી સાત કરોડ યુનિટ વીજળીનો ખેતીવાડી ક્ષેત્રે વપરાશ થાય છે. 


મંત્રીએ ઉમેર્યુ કે,રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો થયો છે જેમા તારીખ 15 ઓગસ્ટ 2021 નાં રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને 103 મિલિયન યુનિટસ્ (10.3 કરોડ યુનિટસ્) વીજળી અપાઈ છે. જે ગત વર્ષે  એટલેકે વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોને અપાયેલ મહત્તમ દૈનિક વીજળીના 93 મિલિયન યુનિટસ્ (9.3 કરોડ યુનિટસ્) કરતાં 10 મિલિયન યુનિટસ્ વધારે છે એટલે કે એક કરોડ યુનિટનો વધારો થયો છે જેના લીધે ખેડૂતોના પાક ઉત્પાદનમા વૃધ્ધિ થશે તેમ તેમણે ઉમેર્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube