ગાંધીનગરઃ રાજ્યમાં આગામી 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં થવાની છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. કોરોના વાયરસને કારણે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથે હાજર રહેનાર લોકોએ માસ્ક પહેરવું પડશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે જ રાજ્યભરમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં યોજાનારા રાજ્યકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. તો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ખેડા જિલ્લામાં હાજરી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજર રહેશે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં આરસી ફળદુ જામનગર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ, કૌશિક પટેલ આણંદ, ગણપત વસાવા સુરત, સૌરભ પટેલ બોટાદ, જયેશ રાદડિયા રાજકોટ, દિલીપ ઠાકોર પાટણ, ઈશ્વરભાઈ પરમાર તાપી, કુવરજી બાવળિયા સુરેન્દ્રનગર, જવાહર ચાવડા જૂનાગઢમાં હાજરી આપશે. 


કોરોનાઃ સીએમની અપીલ- ઓગસ્ટના અંત સુધી બધા તહેવારોની ઉજવણી રદ્દ કરવી જોઈએ  


તો રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠામાં હાજર રહેશે. બચુભાઈ ખાબડ દાહોદ, જયદ્રથસિંહ પરમાર પંચમહાલ, ઈશ્વર પટેલ ભરૂચ, વાસણ આહિર કચ્છ, વિભાવરી દવે ભાવનગર, રમણલાલ પાટકર વલસાડ, કિશોર કાનાણી નવસારી અને યોગેશભાઈ પટેલ વડોદરામાં હાજરી આપવામાં છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કલેક્ટરની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વનું આયોજન થશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube