ઉદય રંજન, અમદાવાદ: જો તમારા ઈમેલમાં આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો સાવધાન થાજો. કેમ કે તમારી સાથે થઇ શકે છે છેતરપિંડી, અમદાવાદના વેપારીએ આવાજ એક ઈમેલ પર 16 લાખ ગુમાવ્યા છે. ગઠિયાએ 3 ટ્રાન્જેક્શન કરીને બેન્કના ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપાડી લેતાં અમદાવાદના વેપારીને રાતા પાણીએ રડાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને લઇ નિતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...


શહેરના નવરંગપુરાના વેપારીના મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બંધ કરાવી અને બેંક એકાઉન્ટ માંથી 16 લાખ રૂપિયા અજાણ્યાં શખ્સએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેપારીના ઈ-મેલ પર સીમકાર્ડની કંપનીના નામનો ઈમેલ કરી આધાર કાર્ડની વિગત માંગી કાર્ડ બંધ કરાવી નવું કાર્ડ વાપીમાંથી પોસ્ટપેઈડ કરાવ્યું હતું.


આ પણ વાંચો:- સત્તાના સોગઠા: રાજ્યસભાની 4 બેઠકો માટે રસાકસી, જાણો શું છે કોંગ્રેસનું ગણિત


નવરંગપુરાના રાજ બંગલોઝમાં રહેતા અને આશ્રમ રોડ પર ટેક્ષેશનની ઓફિસ ધરાવતાં નીતિન શાહના ઈ-મેલ પર 9 માર્ચે વોડાફોન કંપનીના ભળતા નામનો ઇ-મેલ આવ્યો હતો કે તમારું આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક નહિ કરવામાં આવે તો ફોન બંધ થઈ જશે. જેથી નિતિન શાહે આધારકાર્ડ સ્કેન કરી ઈમેલ કરી આપ્યું હતું. 12 માર્ચે નીતિનનો ફોન બંધ થઈ જતાં તેણે વોડાફોન સ્ટોર પર તપાસ કરતા વાપીથી કાર્ડ બંધ થઈ નવું પોસ્ટપેઈડ કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યું છે.


આ પણ વાંચો:- જામનગરમાંથી બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું


ત્યારબાદ, કાર્ડનો દુરુપયોગ કરી કોઈ છેતરપીંડી થઈ હોવાની આશંકા લાગતા નીતિન શાહે બેંક એકાઉન્ટ જોતા અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શનથી રૂ. 16 લાખ અજાણ્યાં શખ્સના ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં. આ અંગે નીતિન પટેલે ફરિયાદ નોંધાવતાં નવરંગપુરા પોલીસે ખાતા નંબર અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.


Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...