અતુલ તિવારી, અમદાવાદ: કોરોના મહામારી અને ગણેશ વિસર્જનના સમયે ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સબારમતી નદીના પટ તરફ જતા માર્ગો પર પતરાં મારી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. કેમ્પ હનુમાનથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીમાં અનેક જગ્યાએ પતરાં મારવામાં આવ્યા છે. ગણેશ વિસર્જન માટે લોકો સાબરમતી નદીના પટમાં ના જાય તે માટે પતરાં મારી માર્ગ બંધ કરાયો છે. ગણેશ સ્થાપના કરી છે તે તમામ લોકો કોરોના સંક્રમણને જોતા ગણેશ વિસર્જન વિધિવિધાન પૂર્વક પોતાના ઘરે જ કરે તેવી અગાઉથી તંત્રએ વિનંતી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર