Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત કતારગામ BRTS બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે BRTS બસ ચાલકની ધરપકડ છે. ચાલક સામે પોલીસે કલમ - 304,337,279 મુજબ ગુનો નોંધ્યો છે.બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. 9 લોકોને  ઈજાઓ પહોંચી હતી. એકનું મોત નીપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકનું મોત, 8 ને ઈજા, ત્રણની હાલત ગંભીર 
સુરતમાં મહાનગરપાલિકાના સીટી, બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે. શહેરમાં અનેકો વખત બીઆરટીએસ,સીટી બસની અડફેટે વાહન ચાલકો સહિત રાહદારીનો મોતની ઘટનાઓ સામે આવી હોય છે.ત્યારે ફરી કતારગામ જીઆઇડીસી ખાતે બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને બસ વચ્ચે ૭ વાહનો ચગદાઈ ગયા હતા. જેમાં એકનું મોત થયું હતું અને ૮ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.. ગોઝારા આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા સાથે ઠેકઠેકાણે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતા.


ગુજરાતની માયુષી અમેરિકામાં ચાર વર્ષથી મિસિંગ, FBIએ માહિતી આપનારને જાહેર કર્યું ઈનામ


એક બસ પાછળ બીજી બસ ઘૂસી ગઈ 
આ ઘટનામાં અમરોલી છાપરાભાટા રોડ ખાતે આવેલ પંચશીલ નગરમાં રહેતા 37 વર્ષે ભીખાભાઈનું મોતિ નીપજ્યું છે. ભીખાભાઈ નોકરી પેસેન્જર રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને બસ વચ્ચે ૭ વાહનો ચગદાઈ ગયા હતા. જેમાં ભીખાભાઈનું મોત થયું હતું. કતારગામ પોલીસે આ મામલે બીઆરટીએસ બસ ચાલક મનહર ગામીતની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કલમ - 304,337,279 મુજબ ગુનો  દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પ્રાથમિક પૂછપરછમાં બ્રેક ફેલ થઈ ગયો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. ત્યારે પોલીસે RTO,FSLની મદદ લઈ તપાસ હાથ ધરશે.


દ્વારકામાં 37 હજાર આહીરાણીઓનો મહારાસ : 5 હજાર વર્ષ પહેલાંની અધૂરી પરંપરા કરી પૂર્ણ


હજી ડિસેમ્બર પૂરો નથી થયો ત્યાં અંબાલાલ જાન્યુઆરીની આગાહી કરી, કહ્યું-ભયાનક થશે