ચેતન પટેલ, સુરત: સુરત (Surat) જિલ્લામાં કોરોનાના (Corona Virus) કેસ સતત વધી રહ્યાં છે. જેને લઈને હીરાના તમામ કારખાના બંધ કરાવવાની વિચારણા થઈ રહી છે. કોરોનાને કાબુલમાં લેવા માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધશે તો એકમો સંપૂર્ણ બંધ કરાવાશે. ગત રોજ સુરતમાં 49 રત્ન કલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. હીરાના એકમો થોડા સમય બંધ કરાવવા અધિકારીઓ દ્વારા રજૂઆત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વિસ્તાર ક્વોરન્ટાઇન કરાયા ત્યાંના એકમો બંધ રાખવા મુદ્દે ચર્ચા થઈ છે. અત્રે જણાવવાનું કે માત્ર કતારગામ વિસ્તારમાં નવા 66 કેસ સાથે આંક 1121 પર પહોંચી ગયો છે. વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી મનપા કમિશનરે યોજેલી બેઠકમાં તમામ ઝોનમાંથી હીરા એકમો બંધ કરાવવાની માંગણી કરાઈ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube