ચેતન પટેલ, સુરત: સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. તદઉપરાંત ફાયર વિભાગના 2 અધિકારીઓ ઉપર પણ તવાઈ આવી અને તેમને સસ્પેન્ડ કરાયા છે. આ સમગ્ર મામલે બે બિલ્ડિંગ માલિકો અને ટ્યૂશન ક્લાસના સંચાલક સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટ્યૂશન સંચાલક ભાર્ગવ બુટાણીની ગત મોડી રાતે ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે બિલ્ડિંગના બિલ્ડરો ફરાર છે. બિલ્ડર હસમુખ વેકરિયાને શોધવા માટે ક્રાઈમબ્રાન્ચ કામે લાગી છે. આ સમગ્ર મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી સરવૈયાને સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત કરૂણાંતિકા: ટ્યૂશન સંચાલકની ધરપકડ, બે બિલ્ડીંગ માલીક ફરાર- પોલીસ કમિશ્નર સતીશ શર્મા


મળતી માહિતી મુજબ ફરાર બિલ્ડર હસમુખ વેકરિયાને પાતાળમાંથી પણ શોધી કાઢવાના મૂડમાં છે ક્રાઈમ બ્રાન્ચ. આ માટે ક્રાઈમ બ્રાન્ચે 8 ટીમો બનાવી છે. ટીમોને અમદાવાદ અને સુરત માટે રવાના કરી દેવાઈ છે. કોઈ પણ રીતે બિલ્ડરને દબોચવા માટે ચક્રો ગતિમાન કરાઈ રહ્યાં છે. 


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...