Surat News : સુરતના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં સુરત પોલીસ એક્ટિવ બની છે. બે આરોપીને પહેલા જ પકડી લેવાયા હતા, જેમાંથી એક નરાધમ શિવશંકરનું ગઈકાલે પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતં. ત્યારે માંગરોળ દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપી આજે ઝડપાયો છે. આરોપી રાજુની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી રાજુ ગુજરાત બહાર ભાગવાની ફિરાકમાં હતો. આમ, ત્રણ નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ગઈકાલે એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં નીપજ્યું હતું મોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપી રાજુની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી ગુજરાત બહાર ભાગી જાય તે પહેલા ધરપકડ થઈ છે. અત્યાર સુધીમાં ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ગઈકાલે એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જિલ્લા LCBની ટીમે બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી રાજુ ટ્રેનમાં મુસાફરી કરી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ સુરત જિલ્લા પોલીસની ટીમ આરોપીને લેવા અમદાવાદ આવવા રવાના થઈ છે. 


અમેરિકા પર ત્રાટક્યું સદીનું સૌથી મહા શક્તિશાળી વાવાઝોડું, વિનાશક વંટોળ આવ્યું