Surat News ચેતન પટેલ/સુરત : સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વધુ ના સમયથી આ બોગસ તબીબો દ્વારા લોકોનો ઈલાજ કરવામાં આવતો હતો તેમને દવા આપવામાં આવતી હતી ,સાથો સાથ બાટલા ચઢાવવા સુધીની કામગીરી કરતા હતા. ઈચ્છાપુર પોલીસે આ પાંચેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ઇચ્છાપુર પોલીસને છેલ્લા કેટલાય સમયે થી ફરિયાદ મળી હતી કે મોરા ગામમાં કેટલાક ઈસમો પોતાની પાસે ડિગ્રી ના હોવા છતાં લોકોનો ઈલાજ કરી રહી છે. જે બાતમીના આધારે ઇચ્છપોર પોલીસે મોરા ગામના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જયા હાજર તબીબ પાસેથી ડિગ્રી અંગે પુરાવા માંગ્યા હતા જો કે તેમની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હતી. જેથી પોલીસે આવા બોગસ પાંચે તબીબોની ધરપકડ કરી હતી અને તેમને ત્યાંથી મસમોટો દવાનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો હતો.


આવતીકાલે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પરથી ન નીકળતા, મેચને કારણે રોડ બંધ કરાયા


પોલીસ પુછપરછમાં તેઓએ પોતાનું નામ ગોવિંદા હલદાર, રમેશ મંડલ, ધીમન બિસ્વાસ, લક્ષ્મણ સરકાર અને કિશોર પટેલ જણાવ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન તેઓએ કબુલાત કર્યું હતું કે તેઓની પાસે તબીબ અંગે કોઈપણ પ્રકારની ડીગ્રી નથી. તેમ છતાં જ તેઓ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં તબીબ તરીકે સેવા આપતા હતા. જે પણ દર્દી આવે તેમને દવા, ઇન્જેક્શન પણ આપતા હતા. આ ઉપરાંત કેટલાક દર્દીઓને તો બાટલા સુદ્ધા ચઢાવવામાં આવતા હતા. હાલ તો સમગ્ર બનાવને લઈને ઈચ્છા પર પોલીસે આ પાંચે આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.


શિક્ષકના દિલમાં વાસનાની ભૂખ જાગી, અડધી રાતે ક્લાસની વિદ્યાર્નીનીને મળવા બોલાવી