ચેતન, સુરત:  સુરત (Surat) માં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની હાલત સૌથી વધુ કફોડી બની છે. સુરતમાંથી પરપ્રાંતિયો (migrants) ને પોતાના વતન પરત મોકલવા માટે ખાસ ટ્રેન દોડાવાઈ રહી છે, તો બસોનું પણ આયોજન કરાયું છે. લોકડાઉન બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતીય શ્રમિકો માટે મોટી સમસ્યા પેદા થઈ છે. તેઓ પોતાને ગામ પાછા ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે. ત્યારે આજે સુરત શહેરના ઈચ્છાપોર નજીક મોરાગામે વતન જવાની માંગ સાથે હોબાળો કરી પથ્થરમારો કરતાં પોલીસે લાઠિચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યાં હતાં. વણસજતી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસ છોડવા મજબૂર થવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે ગત સોમવારે પણ સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં હતા. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 


સુરતમાં કોરોનાના નવા 25 કેસ પોઝિટિવ આવ્યા, સૌથી વધુ લિંબાયત વિસ્તારમાં
શુક્રવારે સુરતમાં કોરોનાના નવા 25 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં સૌથી વધુ સુરતના લિંબાયત વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ સાથે જ સુરતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 824 પર પહોંચી ગઈ છે. તો શુક્રવારે સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. લિંબાયતના 65 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દી બીસ્મિલ્લાહ ખાન પઠાણ નામના આધેડનું મોત નિપજ્યું હતું. તો સુરતમાં કુલ મૃતયાંક 38 છે. જેમાં 1 ગ્રામ્યનો છે. આજ રોજ વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube