સુરત : શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ડિસેમ્બર મહિના સુધી ચાલે તેવી ધારણા મુકીને સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી 128 કરોડની માંગણી કરી છે. હાલમાં સુરત પાલિકાની તિજોરી ખાલી થઇ જતા પાલિકાએ કોરોનાને નાથવા માટે ડિસેમ્બર સુધીમાં 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેવો અંદાજ લગાવીને રાજ્ય સરકાર પાસેથી ભંડોળની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, મોટા ભાગની નદીઓમાં નવાનીરથી ડેમ છલકાયા

સુરત કોર્પોરેશન દ્વારા કોરોનાની કામગીરીમાં અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરોનાની ગ્રાન્ટ પેટે 43 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જો કે 40 કરોડ રાહત કામગીરી, દવા, હોસ્પિટલનાં બીલ, મા્ક સહિતની સામગ્રી ખરીદવા માટે વપરાયા છે. થોડા સમય અગાઉ પાલિકાઓએ રાજ્યનાં રાહત કમિશ્નર પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો કે સરકારને હજી સુધી એખ પણ રૂપિયા ફાળવવામાં આવ્યો નથી.


અમદાવાદ : દશામાની મુર્તિઓની એવી સ્થિતી, ભક્તો ફરી ક્યારે આવી ભુલ નહી કરે

કોરોના અંગે મનપાને કોઇ પણ પ્રકારની આવક નથી. જેને લઇને મનપાની તિજોરી હાલ ખાલી છે. જેથી આગામી ચાર પાંચ મહિના સુધી કોરોનાને લગથી કામગીરી માટે પાલિકાનો સરેરાશ 140 કરોડ રૂપિયાનો ખર્ચ છવાનો અંદાજ છે. જેથી આ નાણાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube