• ઝી 24 કલાકની ટીમે તપાસ કરતા સુરતની ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વર્ગો ચાલુ હાલતમાં જોવા મળ્યા

  • રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યુ કે, વિદ્યાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે. પરંત હજુ સુધી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે સુરતની ગજેરાના સ્કૂલના સંચાલકો સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે. સરકારની પરમિશન વગર જ ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા છે. આ ઘટનાથી કહી શકાય કે જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારીઓ હજી પણ નિંદ્રાધીન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ  પણ વાંચો : આનાથી મોટી રક્ષાબંધન ભેટ શુ હોઈ શકે... કિડની દાન કરીને ભાઈએ બહેનને નવુ જીવન આપ્યું 


પરવાનગી વગર વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવાયા 
ગુજરાત સરકારે ધોરણ 9 થી ઉપરના વર્ગો શરૂ કરવા આદેશ આપ્યા છે. પરંતુ સુરતની ગજેરા સ્કૂલને કોઈ નિયમો લાગતા નથી તેવુ લાગે છે. સરકારથી ઉપરવટ જઈને સુરતની ગજેરા સ્કૂલે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઝી 24 કલાકની ટીમે તપાસ કરતા અહી ધોરણ 6 થી 8 ના વર્ગો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. આખરે કેમ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા. 


આ  પણ વાંચો : અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત : કારે રીક્ષાને ટક્કર મારતા ગરીબ ચાલકનું મોત, બાદમાં બાઈકને પણ અડફેટે લીધી


વિદ્યાર્થીઓને ઘેંટાબકરાની જેમ ક્લાસમાં બેસાડાયા 
તેમજ રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યુ કે, વિદ્યાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આખો રૂમ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ધોરણ 6 થી 8 ના વર્ગોમાં કોરોના ગાઈડલાઈનનું કોઈ પાલન કરવામાં આવ્યુ ન હતું. તો ધોરણ 8 ના એક શિક્ષક સાથે વાત કરતા કહ્યું કે, તમે પ્રિન્સીપાલ સાથે વાત કરો. હુ કંઈ ન કરી શું.


 


કુદરતે મનમૂકીને સાપુતારાને સૌંદર્ય આપ્યું, રાત્રિના સમયે રોશનીથી ઝગમગતુ કરાયું