Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનો સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જાણ થતા દોડી આવેલી પોલીસે એટીએમ બાદ પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહેલા બંને ચોરને ગણતરીની મિનીટમાં ઝડપી પાડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત કમલા ચોક નજીક શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ત્રાટકયા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા બે ચોર એટીએમમાં ઘુસી સેફટી ડોર તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમ થકી પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ તુરંત જ દોડતી થઈ હતી. 


આ પણ વાંચો : 


હવે ગુજરાતીઓનો વારો પડશે, કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહીથી હાલત કફોડી બનશે


પરંતુ બીજી તરફ, સેફ્ટી ડોર તોડવામાં સફળતા ન મળતા, બંને ચોર પોલીસ આવે તે પહેલા ત્યાંથી ભાગી ગયા હતા. આગળ જઇ બંને ચોર પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અરસામાં ચોરની શોધખોળ કરતી પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે જોઈ બે પૈકી એક ભાગી ગયો હતો, જયારે એક ચોર ધીરજસીંગ ઉર્ફે ધીરૂસીંગ લક્ષ્મણસીંગ રાજપૂતને સુરત પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. 


[[{"fid":"422499","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"suart_atm_chori_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"suart_atm_chori_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"suart_atm_chori_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"suart_atm_chori_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"suart_atm_chori_zee.jpg","title":"suart_atm_chori_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


તેની પૂછપરછના આધારે તેની સાથે રહેતા હમવતની સાથીદાર સંજીવ જગદીશપ્રસાદ ચૌધરીને પણ ગણતરીની મિનીટોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ત્યારે પ્રિન્ટીંગ કામ કરતા બંને મિત્રો પ્રથમ વખત ચોરી કરવા ગયા હતા, પરંતુ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા તેવું એસીપી દેસાઈએ જણાવ્યું. 


આ પણ વાંચો : IAS લોબીમાં લાંબી ખેંચતાણ બાદ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક