પ્રશાંત ઢીવરે/સુરત: આવતીકાલે ઇદે મિલાદ અને 17મી ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરતના ભાગળ વિસ્તારમાં શહેર પોલીસનું રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે મેદાને ઉતર્યા હતા. સૈયદપુરામાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના દિવસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવી ભયંકર પરિસ્થિતિ! આ રોગથી હોસ્પિટલો ઉભરાઈ, યોગ્ય પગલા નહીં લેવાય તો...


સુરત શહેરમાં એક અઠવાડિયા પહેલા જ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે ધાબા પરથી પથ્થર મારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાથે જ વાહનોમાં તોડફોડની સાથે આગ લગાવી દેવામાં આવી હતી. ઘટના બાદ પોલીસે લોખંડી બંદોબત ગોઠવી દીધો છે. 


Arvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા


મંગળવારના રોજ ભાગળ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે અલગ અલગ પ્રતિમાઓ નીકળનાર છે. શહેરમાં અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન થશે. 80 હજાર મૂર્તિ નું વિસર્જન કરવામાં આવશે.જુલુસ અને વિસર્જન મા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે. 320 ધાબા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. દરેક પોઈન્ટ પર પોલીસ ગોઠવી દેવાયા છે.


હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ


શહેર ક્રાઇમ બ્રાન્ચ ની ૧૦ ટીમ તૈનાત કરાઇ છે. 4 SOG ટીમ તૈનાત રહેશે. 7 ક્વીક રીસ્પોન્સ ટીમ પણ તૈનાત રહેશે. સાથે જ 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. 900 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે. 7 વજ્ર વાહનથી કામગીરી કરવામાં આવનાર છે. પાલિકા સાથે મળી પોલીસ કામગીરી કરશે. 3000 સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવનાર છે. 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે.


હજુ આવશે વરસાદનો એક રાઉન્ડ, અંબાલાલે કરી આગાહી, લોકોની નવરાત્રિ પણ બગડી શકે!