ચેનત પટેલ, સુરત: રાજ્ય અને સમગ્ર દેશમાં રેપ સિટી તરીકે બદનામ થઇ રહેલા સુરત શહેરમાં વધુ એક માસુમ બાળકી હવસખોરનો શિકાર બની છે. આ વખતે વાસના ભરેલા નર પિશાચે હજીરા ગામ ખાતે રહેતી ત્રણ વર્ષની એક બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. હજીરા નજીકની ઝાડીઓમાંથી આ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે અને હાલમાં સુરત પોલીસ તપાસ માટે દોડતી થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત


સુરત શહેરના છેવાડે આવેલા હજીરા ગામ માતા ફળિયા ખાતે શિકોતર માતાના મંદિર નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકી આજે બપોર બાદ અચાનક ગુમ થઇ ગઇ હતી. તેના પરિવાર અને આસપાસના લોકોએ બાળકીની શોધખોળ કરવા છતા તે હાથ લાગી ન હતી. દરમિયાન હજીરા નજીક આવેલી બાવળની ઝાડીઓ વચ્ચેથી આ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી.


વધુમાં વાંચો: સુરતમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર, બંનેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત


માસુમ બાળકીને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં આ બાળકી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યાનું ડોક્ટરોની તપાસમાં જાહેર થતા શ્રમજીવી પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોએ રો કકળ કરીને વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...