ચેતન પટેલ/સુરત: રાજ્યમાં મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સુરતમાં હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ આપઘાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ સુસાઈડ નોટમાં મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી'  પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે જણાવ્યું છે કે મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ ગુનો નોંધશે. 


ગુજરાતના માથે છે આ સંકટ! ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સુસાઈડ નોટમાં લખ્યું કે મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. એટલું જ નહીં, હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’લખી પરવત ગામની મહિલાએ જીવન ટૂંકાવ્યું છે.


આવતીકાલે PM મોદી ‘પરીક્ષા પે ચર્ચા’માં વિદ્યાર્થીઓને આપશે ‘ગુરુમંત્ર’, જાણો વિગતે


મહત્વનું છે કે, પરવત ગામમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરતાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ પોલીસે જણાવ્યું છે કે મૃતકના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ ગુનો નોંધશે.