ચેતન પટેલ/ સુરત: સુરતના વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં ફરી એક વાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક સાધુએ ત્યા જ અભ્યાસ કરતા 14 વર્ષના કિશોર સાથે શારિરીક છેડીતી કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે કતારગામ પોલીસ મથકમા સાધુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વેડરોડ વિસ્તારમા સ્વામીનારાયણ ગુરુકુળ સ્કુલ આવેલ છે. જ્યાં 14 વર્ષનો બાળક ધોરણ 9માં અભ્યાસ કરે છે. અભ્યાસ દરમિયાન ત્યાં સેવા આપતા સાધુ પતિતપાવન સ્વામીએ બાળક પર નજર બગાડી હતી. સ્વામીએ એકલતાનો લાભ ઉઠાવીને બાળક સાથે શારીરિક છેડતી કરી હતી. શરુઆતમા બાળકને આ અંગે કોઇને ન કહેવાની ધમકી આપવામા આવી હતી.


રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ, તસવીરોમાં જુઓ ક્યાં છે કેવી સ્થિતિ



જો કે બાદમા પણ સ્વામી દ્વારા આ જ રીતની શારીરિક છેડતી શરુ રાખી હતી. જે અંગે બાળકે તેના પરિવારજનોને જાણ કરી હતી બાળકની વાત સાંભળતા જ પરિવારજનોના પગ તળિયેથી જમીન સરકી પડી હતી અને તેઓ તાત્કાલિક આ અંગે કતારગામ પોલીસ મથકમા દોડી જઇ સ્વામી પતિતપાવન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે કિશોરનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.