ગૌરવ દવે/રાજકોટ : વ્યક્તિ જયારે નાશી પાસ થઇ જાય અને કોઈ રસ્તો ન દેખાય તો અંતે મોત વ્હાલું કરતો હોય છે, વાત છે રાજકોટ જિલ્લાના જસદણની જ્યાં કે યુવક સાથે 20 લાખની છેતરપિંડી થઇ અને પોતે પાયમાલ થઇ ગયો છે. હવે પરિવાર માટે કઈ નહિ કરી શકે એવો આભાસ થતા મોતને મીઠું કર્યું હતું. જતા જતા એક મરણ નોંધ લખાવા સાથે 6 જેટલા છેલ્લા વિડ્યો બનાવીને પોતના મોતનું કારણ પણ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઘટના કોણ છે?
રાજકોટ જિલ્લાના જસદણના ગંગાભુવન રોડ ઉપર રહેતા અને મૂળ તાલુકાના સાજડિયાળી ગામના રહેવાસી એવા અશોક રવજીભાઈ ઢોલરીયા 3 - 4 દિવસ થયા લાપતા હતા અને પરિવાર જનો એ અશોકભાઈ લાપતા થઇ ગયા છે ની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાવી હતી. ગત તારીખ 17ના રોજ અશોકભાઈનો મૃતદેહ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ SPS સ્કૂલ પાસે થી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને નાના એવા શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો. પરિવારજનોએ અશોકભાઈની હત્યા થઇ હોવાની શંકા સાથે તેની લાશું સ્વીકારવાની ના કહી હતી. અશોકભાઈ ના મૃતદેહને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલતા ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતક અશોકભાઈના મૃતદેહ પાસેથી એક મરણ નોંધ અને તેના મોબાઇલમાંથી મરતા પહેલા પોતાની કે વ્હાલસોયી 9 વર્ષની દીકરીને ઉદેશી ને બનાવેલ વિડ્યો મળી આવ્યો હતો. 


GUJARAT ના મોટા ભાગના શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત, જાણો તમારૂ શહેર છે કે નહી...


કોણ છે મૃતક શા માટે કરી આત્મહત્યા? 
મૃતક અશોકભાઈ રવજીભાઈ ઢોલરીયા મૂળ જસદણ તાલુકાના સાજડિયાળી ગામના રહેવાસી છે. છેલ્લા ઘણા વર્ષોથી જસદણના ગંગાભુવન પાસે રહે છે. અશોકભાઈ અહીં રહીને છૂટક ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. ખુશહાલ રહેતા અશોકભાઈને 9 વર્ષની એક દીકરી છે. કિલ્લોલ કરતા રહેતા હતા. અશોકભાઈએ મોતને મીઠું કરતા પહેલા કે મરણ નોંધ લખી અને એમાં તેણે જે લોકો તેને હેરાન કરતા હતા. તને સાથે જે રીતે છેતરપિંડી થઇ અને જેણે તેની સતાહૈ છેતરપિંડી કરીને તેની મરણમૂડી લઈ લીધી હતી તેનું નામ છે. 


અશોકભાઈએ મરતા પહેલા લખેલ ચીઠીમાં યુગેન ધનજીભાઈ ભુવાના નામનો તેના મોબાઈલ નંબર સાથે ઉલ્લેખ કરેલ છે અને યુગેને અશોકભાઈ પાસેથી ધીમે ધીમે 20 લાખ રૂપિયા પડાવી લીધાનો ઉલ્લેખ કરેલ છે. તેવો એ જયારે ગાડી લીધી તે પણ હપ્તા ભરતો ન હોવાથી અને હવે છેલ્લા 3 મહિના થયા યુગેન અશોકભાઈનો ફોન ઉપાડતો નથી તેવો ઉલ્લેખ છે. સાથે સાથે તેની દુકાન ના 10 વર્ષ પહેલાના ભાગીદાર અરવિંદભાઈ વલ્લભભાઈ હિરપરા તેને પૈસા આપવાનું કહી ને ભીંસ આપતા હતા અને તે 3 લાખ રૂપિયા લઈ ગયા છે નો ઉલ્લેખ કરેલ છે.સાથે તેની દુકાનનો ભાગ હવે તેના પિતાને મળે તેવી વાત લખતા ગયા છે.


પ્રેમીએ કહ્યું બાથરૂમ વાળો વીડિયો મસ્ત છે, SEX EDUCATION માટે વાયરલ કરવો પડશે અને...


શું છે તેના છેલ્લા વિડ્યો માં કોને ઉલ્લેખી ને તેણે છેલ્લો વિડ્યો બનાવ્યો છે જોઈએ
મોતને મીઠું કરતા પહેલા અશોકભાઈ એ પોતાના પરિવાર અને પોતાની વહાલસોય દીકરીને ઉદેશીને 6 જેટલા વિડ્યો બનાવ્યા હતા. જેને અશોકભાઈનું ડાઈગ ડીક્લેરેશન કહી શકાય એવા છે જેમાં તેણે લખેલ સ્યુસાઇટ નોંધનો ઉલ્લેખ કર્યો છે.  વીડિયોમાં પરિવારને છેલ્લા જઈ શ્રીકૃષ્ણ કહ્યું હતું. તેને જે લોકો હેરાન કરે છે તેના નામ મરણનોંધમાં છે. તને ક્યારેય છોડવા નહિ તેની વિનંતી કરી છે સાથે સાથે પોતાની દીકરીને ઉલ્લેખીને કહ્યું છે કે કયારેય કોઈ પાસે કાંઈ માંગતી નહિ અને તારી મમ્મીને હેરાન ન કરતી કેહતા નજરે આવે છે. 


કોણ છે મરણનોંધમાં લખેલ વ્યક્તિઓ
અશોકભાઈ એ પોતાની મરણ નોંધ માં યુગેન ભુવા અને તેના જુના દશ વર્ષ પહેલા ના ભાગીદારના નામનો ઉલ્લેખ છે અને વિડ્યો માં પણ એજ કહી ને વિનંતી કરે છે કે આ લોકોને છોડતા નહિ. મરણનોંધમાં લખેલ વ્યક્તિઓ વિષે કઈ ખાસ માહિતી મળતી નથી અને જસદણ પોલીસ હાલ તો આ લોકોને શોધી રહી છે. છેતરપિંડીનો ભોગ બનેલ મૃતક અશોકભાઈ ને આ સમાજે તેની મરણમૂડી તો પરત ના અપાવી શકી પરંતુ અશોકભાઈ ને બચાવી પણ ન શકી. હાલ તો અશોકભાઈના પરિવારે દીકરાને ગુમાવા સાથે સાથે અશોકભાઈની મરણમૂડી જેવી 20 લાખરુપીયા પણ ગુમાવ્યા છે. સાથે સાથે તેની 9 વર્ષની દીકરીએ તેનાપિતાની છત્ર છાયા ગુમાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube