GUJARAT ના મોટા ભાગના શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત, જાણો તમારૂ શહેર છે કે નહી...

ગુજરાતમાં એક જ દિવસમાં 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. રોજિંદી રીતે કેસમાં 5000 ની આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉછાળો કાબુમાં નહી આવી રહ્યો હોવાના કારણે સરકાર દ્વારા હવે ગાઇડલાઇન વધારે કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા વધારે કડક નિયંત્રણો લાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે. SOP ની 22 મી તારીખે મુદ્દત પુર્ણ થઇ રહી છે. જેના કારણે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. 
GUJARAT ના મોટા ભાગના શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત, જાણો તમારૂ શહેર છે કે નહી...

ગાંધીનગર : ગુજરાતમાં એક જ દિવસમાં 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. રોજિંદી રીતે કેસમાં 5000 ની આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉછાળો કાબુમાં નહી આવી રહ્યો હોવાના કારણે સરકાર દ્વારા હવે ગાઇડલાઇન વધારે કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા વધારે કડક નિયંત્રણો લાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે. SOP ની 22 મી તારીખે મુદ્દત પુર્ણ થઇ રહી છે. જેના કારણે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. 

જો કે ગાઇડલાઇનમાં કોઇ મોટુ પરિવર્તન કરવામાં આવ્યું નથી. રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 

જો કે કયા કયા શહેરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર શહેર, આણંદ, મોરબી, નવસારી, વલસાડ, ગોંડલ, નડીયાદ, વાંકાનેર, ધોરાજી, ભરૂચ, જેતપુર, જૂનાગઢ શહેર, સુરેન્દ્ર નગર, ગોધરા, વ્યારા, અંકલેશ્વર, કાલાવાડ, ગાંધીનગર શહેર, ધ્રાંગધ્રા, વિજલપોર (નવસારી) વાપી અને કલોલમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ રહેશે. આ નગરોમાં દુકાનો, વાણીજ્યીક સંસ્થા, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડીયા, ગુજરી બજાર, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારીક ગતિવિધિ બંધ રહેશે. 

હોટલ અને રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે હોટલ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહીને હોમ ડિલિવરી કરી શકશે. સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારનાં રાજકીય શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને જાહેર સમારંભો અને ધાર્મિક સ્થળોમાં ઉપરાંત લગ્ન પ્રસંગમાં મહત્તમ 150 વ્યક્તિ અથવા 50 ટકા (150 થી વધારે નહી) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. અંતિમક્રિયા-દફન વિધિ 100 વ્યક્તિઓને મંજૂરી હતી. 

પબ્લિક અને પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટ બસ અથવા અન્ય વાહનમાં 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. આ ઉપરાંત બસ ટ્રાન્સપોર્ટ સેવાને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ અપાઇ છે. સિનેમા હોલ પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. જીમ પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. વોટર પાર્ક અને સ્વિમીંગ પુલ 50 ટકા ક્ષમતા, વાંચનાલય પણ 50 ટકા ક્ષમતા. ઓડિટોરિયમ, એસેમ્બલી હોટલ, મનોરંજનના સ્થળો પણ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રહેશે. જાહેર બાગ-બગીચા રાત્રી 10 વાગ્યા સુધી ચાલશે. 

ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસિસ અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલી શકશે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓને આધિચ ચાલુ રહેશે. સ્પોર્ટ કોમ્પલેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સંકુલમાં રમત ગમત પ્રેક્ષકોની હાજરી વગર ચાલુ રાખવાના રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news