રાજકોટ : સહીત સૌરાષ્ટ્રના દરીયા કાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે વરસાદની આગાહીના પગેલે ગોંડલ એસડીઆરએફની 1 ટીમનું પોરબંદર ખાતે આવી પહોંચી છે. એસડીઆરએફની ટીમમા 3 અધિકારીઓ સહિત 60 જવાનોની ટીમ પોરબંદર ખાતે આવી પહોંચી છે. પરિસ્થિતિને જોતા જરૂર પડ્યે વહીવટીતંત્રની સુચન મુજબ જિલ્લાના જે પણ સ્થળે એસડીઆરએફની જરૂર હશે ત્યા તેઓને મોકલવામાં આવશે. તમામ આધુનિક સાધનોથી સજ્જ આ ટીમ વરસાદ અને વાવાઝોડાને લગતા તમામ ખતરાઓ સામે પહોંચી વળવા માટે સજ્જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોની વેપારીઓ સવાધાન! કોણ કરી રહ્યું છે સોની વેપારીઓને ધમકી ભર્યા ફોન? જાણો પૈસા પડાવવા ચાલુ થયો છે આ નવો ધંધો


ગીરના જંગલોમાં એકતરફ દરિયોને બીજી તરફ નદીઓ ગાંડીતુર...
ગીર સોમનાથ - વેરાવળ તાલુકાનું નાવદ્રા ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. તપોવન નામની હાઈસ્કૂલમાં પાણી ભરાયા હતા. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ઝી 24 કલાક પહોંચ્યું હતું. કમર ડૂબ પાણીમાં સ્કૂલના શિક્ષકો ફરજ બજાવે પણ વિદ્યાર્થીઓ નથી. જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ કોઈ આદેશ પણ નથી આપ્યો. સુત્રાપાડા તાલુકાના નાવદ્રા ગામ પાણીમાં ગરક થયું છે. ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી તા.૦૯-૦૭-૨૦૨૨ અને તા.૧૦-૦૭-૨૦૨૨ ના રોજ જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેના પગલે જિલ્લામાં આવેલ ડેમ અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા રહેલ છે. ગત વર્ષોમાં પુરની સ્થિતિમાં પણ લોકો ગફલતમાં રહી પાણીમાં ન્હાવા પડવાથી ડુબી જવાના તથા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી માનવ મૃત્યુના બનાવ બનેલ છે. આ ઉપરાંત આકાશી વિજળી પડવાથી માનવ મૃત્યુના બનાવ બનેલ છે. કુદરતી આપદાઓ સામે સાવચેતી એ જ આપણી સુરક્ષા છે. 


વાહ સરકાર! શાળા શરૂ કરવા માટે ગામલોકોએ શિક્ષણમંત્રીનું પુતળું બાળ્યું, બેસણું રાખે તે પહેલા જ...


જામનગર કલેક્ટરે ચોમાસાને પગલે ગાઇડલાઇન બહાર પાડી...
જામનગર જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું તથા અજાણ્યા પાણીમાં પ્રવેશ ન કરવો, બાળકોને આવા પાણીથી દુર રાખવા તથા બિન જરૂરી સાહસ કરી બ્રિજ પર કે ડેમ સાઇટ પર પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી.જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી અત્યારથી જ સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવુ. ઉંચાણ વાળા વિસ્તારોમાં પાકા મકાનમાં આશ્રય લેવા, જીવનજરૂરી પૂરવઠો સંગ્રહ કરી રાખવા, ખેતરના પાકનો યોગ્ય સંગ્રહ કરી લેવા તથા પશુઓની યોગ્ય વ્યવસ્થા કરી રાખવા પણ કલેકટરશ્રી દ્વારા અપીલ કરાઈ છે.


શેરમાર્કેટમાં રોકાણના નામે યુવક પાસેથી 16 લાખ પડાવ્યા, સુરત પોલીસે ગેંગને ઈન્દોરથી પકડી


આકાશી વિજળીથી હવે સરકાર તમને બચાવશે...
આકાશી વિજળીથી બચવા માટે આઇ.એમ.ડી. દ્વારા ડેવલપ કરવામાં આવેલ “DAMINI” એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવી અને ચોમાસા દરમ્યાન કોઈ અઘટિત બનાવ બને તો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતેના ફોન નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪ તેમજ તાલુકા કક્ષાએ કાલાવડ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે ૦૨૮૯૪-૨૨૨૦૦૨, જામજોધપુર તાલુકા માટે ૦૨૮૯૮-૨૨૧૧૩૬, જોડીયા તાલુકા માટે ૦૨૮૯૩-૨૨૨૦૨૧, ધ્રોલ તાલુકા માટે ૦૨૮૯૭-૨૨૨૦૦૧, લાલપુર તાલુકા માટે ૦૨૮૯૫-૨૭૨૨૨૨, તથા જામનગર મહાનગર પાલિકા વિસ્તાર માટે ૦૨૮૮-૨૭૭૦૫૧૫, ૨૬૭૨૨૦૮, તથા મો.નં. ૯૯૦૯૦ ૧૧૫૦૨ પર સંપર્ક કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube