બ્રિજેશ દોષી, અમદાવાદઃ રાજ્યમાં હાલમાં યોજાયેલી છ મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal elections) માં ભાજપને ભવ્ય જીત મળી હતી. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પાર્ટીએ મેયર કોને બનાવવા તે માટે મનોમંથન શરૂ કરી દીધુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં રાજ્યના છ મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ જશે. આ માટે દરેક શહેરના કમિશનરે પણ કોર્પોરેશનની નજરલ બેઠક યોજનાની તૈયારી કરી લીદી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ક્યારે મળશે નવા મેયર
રાજ્યના છ મહાનગરોની સત્તા પ્રજાએ એકવાર ફરી ભાજપને સોંપી છે. ભવ્ય જીત બાદ ભારતીય જનતા પાર્ટી પણ મેયરોના નામ પર વિચાર કરી રહી છે. અમદાવાદને 10 માર્ચે નવા મેયર મળી જશે. 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હાજર રહેવાના છે. જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી થશે. 


આ પણ વાંચોઃ નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, કમલમમાં નથી બનતા EVM, હાર પચાવતા શીખો


તો 10 માર્ચે ભાવનગર શહેરના નવા મેયર મળવાના છે. જો રાજકોટની વાત કરવામાં આવે તો આ રંગીલા શહેરના મહાશિવરાત્રીના દિવસે એટલે કે 11 માર્ચે નવા મેયર મળવાના છે. તો 11  માર્ચે વડોદરાના નવા મેયરની જાહેરાત થઈ શકે છે. આ સિવાય જામનગર અને સુરતને 12 માર્ચે નવા મેયર તથા પદાધિકારીઓ મળી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube