અમદાવાદ : થિયેટરમાં ખાદ્ય પદાર્થ લઇ જવાની છુટ અપાતાની સાથે જ થિયેટરો દ્વારા કરવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ થઇ ગઇ હતી. આ ઉઘાડી લૂંટ બંધ થતાની સાથે જ થિયેટર સંચાલકોના પેટમાં તેલ રેડાયું હતું. ગ્રાહકોનાં હિતનાં નામે સરકારને ફરી એકવાર રજુઆત કરવામાં આવી હતી. થીયેટર અને મલ્ટીપ્લેક્ષમાં બહારથી ખાદ્યપદાર્થ લઇ જવા મુદ્દે એશોશીએશન સરકારને કરશે રજુઆત કરવામાં આવશે. થીયેટર અને મલ્ટીપ્લેક્ષમાં બહારથી ખાદ્યપદાર્થ લઇ જવા મુદ્દે એશોશીએશન સરકારને કરશે રજુઆત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT માં વિકરાળ થતો કોરોનાનો આંકડો, આજના આંકડા સાંભળીને હાજા ગગડી જશે


24 ડિસેમ્બરે તોલમાપ વિભાગે બહારથી ખાદ્યપદાર્થ લઇ જવાનો પ્રતિબંધ ન હોવાની કરી હતી જાહેરાત કરી હતી. ગ્રાહકોની ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર લઇ શકશે નિર્ણય. વાઇડ એંગલ થીયેટરના ડિરેક્ટર રાકેશ પટેલે નિવેદન આપ્યું હતું. થીયેટરમાં આવનારા દર્શકોની સુરક્ષા સૌથી મહત્વની છે. સરકાર તરફથી કોઇ પત્ર કે પરીપત્ર મળ્યો નથી માટે અમલવારીનો પ્રશ્ન નથી. જો કોઇ દર્શક પોતાનું ટીફીન થીયેટરમાં જમવા બેસે તો અન્ય દર્શકોના મનોરંજનનું શુ થાય તેવી ચિંતા વ્યક્ત કરી હતી. 


મારા ખેતરમાંથી કેમ ચાલે છે તેમ કહીને વડોદરામાં એક યુવાનની જાહેરમાં હત્યા, પોલીસ પણ ચોંકી ઉઠી


લસણ કે કાંદા વાળા ખાદ્ય પદાર્થથી સમગ્ર થીયેટરમાં તીવ્ર વાસ ફેલાય છે. આ પ્રકારની મંજુરીથી થીયેટરમાં સ્વચ્છાતા જળવાશે નહી. સુકા નાસ્તા અને હળવા નાસ્તા માટે પરવાનગી આપીએ છીએ. વર્ષ 2017માં જમ્મુ અને કાશ્મીરમાં થીયેટર અને મલ્ટીપ્લેક્ષમાં બહારના ખાદ્યપદાર્થ લઇ જવાનો મુદ્દો ઉપસ્થિતિ થયો હતો. જમ્મુ કાશ્મીર હાઇકોર્ટે થીયેટરમાં બહારથી ખાદ્યપદાર્થ લઇ જવાની પરવાનગી આપતો આદેશ આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યુ હતુ કે આ પ્રકારનો પ્રતિબંધ જમવાના અધિકાર અને જંકફુડ ન ખાવાના અધિકારના વિરૂધ્ધ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube