• રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે ભુજ શહેરની કરી હતી સ્થાપના 

  • દર વર્ષની પરંપરા મુજબ ખીલી પૂજન કરાયું, રાજવી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો 


રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :કચ્છનું પાટનગર એટલે ભુજ. લાખો કચ્છીઓના મનમાં ભુજ (Bhuj) ના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474 મો જન્મદિવસ છે, ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી. ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે. રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ ભુજ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું, જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે અને 474 માં જન્મદિવસના 56 ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ગયું છે. ત્યારે ભુજના જન્મદિવસે આ પાટનગરને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠી છે.


આ પણ વાંચો : મુંબઈની IT ટીમ અમદાવાદ ત્રાટકી, સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે પાડ્યા દરોડા 


ભુજ પર 18 રાજવીઓએ રાજ કર્યું 
રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. આજે શહેરને 474 વર્ષ પૂરા થયા છે. ભુજ પર અત્યાર સુધી 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948 માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરાયું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગરપાલિકા નિયુક્ત થાય તેવી લાગણી દર્શાવી છે. અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો. પરંતુ હવે શહેરની બહાર વિકાસ થઈ રહ્યો છે. ચોતરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંક્તિ થઈ ગયું છે.


''અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,
ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી''



ભુજના જોવાલાયક શહેરો
અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું. આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે. શહેરમાં અનેક જોવાલાયક સ્થળો છે. કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, જમાદાર ફતેહમામદનું ખોરડું, છતરડી, સ્વામીનારાયણ મંદિર, દરબાર ગઢ, આયના મહેલ, ત્રિમંદિર, ટપકેશ્વરી, ભુજિયો ડુંગર, ખેંગારજી પાર્ક, લખોટો (રાજેન્દ્ર બાગ), દાદાદાદી પાર્ક, હિલ ગાર્ડન,રુદ્રમાતા, સુરલભીટ્ટ, રામકુંડ વગેરે.


આ પણ વાંચો : ગુજરાતના પ્રથમ ઓમિક્રોન દર્દીનો રિપોર્ટ શું કહે છે, શું કહેવુ છે ડોક્ટરનું, જાણો...


રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી. પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશો.ની ઓફિસ આવેલી છે.



કચ્છ ઈતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા જણાવે છે કે, ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજ આવેલ દરબારગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેર મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ ભુજ સ્થાપના સાથે જોડાયેલ કેટલાક ઐતિહાસિક સ્થળો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જો આ તમામ ઐતિહાસિક સ્થળોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો ભુજના પ્રવાસન સ્થળને વધુ વેગ મળશે.


આ પણ વાંચો : SG હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ, 5 કિમી સુધી વાહનો અટવાયા


ભુજની સ્થાપનાને લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપત્તિનો સામનો કર્યો છે. ભુજવાસીમાં ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચૂક્યા છે. જેમાં 2001 માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, હવે ભુજ ક્યારે પણ બેઠું નહિ થાય. પણ આજે 2001 ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે. ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે.


ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે કરે છે ઉજવણી
દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતી, ત્યાં પૂજા કરવામાં આવે છે. આઝાદી પહેલા આ વિધિ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી. ભુજની સ્થાપના સવંત 1605 માં માગશર સુદ પાંચમના દિવસે થઈ હતી. આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છે. તો રાજવી પરિવારે પણ ખીલી પૂજનમાં ભાગ લીધો હતો. રાજવી પરિવારના અગ્રણી ઇન્દ્રસિંહ જાડેજાએ ભુજના સ્થાપના દિનની વધામણી સાથે હવે ભુજને મહાનગરપાલિકા મળે એવી માંગ પણ કરી હતી.