ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં બે દિવસના ઘટાડા બાદ આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 979 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 979 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 873 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5781 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5767 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,34,243 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,964 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 335, મહેસાણા 103, વડોદરા કોર્પોરેશન 66, સુરત કોર્પોરેશન 49, કચ્છ 46, રાજકોટ કોર્પોરેશન 33, ભાવનગર કોર્પોરેશન 31, ગાંધીનગર 27, ગાંધીનગર કોર્પોરેશન 24, બનાસકાંઠે 23, સુરત 23, રાજકોટ 22, ભરૂચ 21, મોરબી 20, પાટણ 18, સાબરકાંઠા 18, આણંદ 16, નવસારી 15, વલસાડ 12, અમરેલી 11 એમ કુલ 979 કેસા નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,19,537 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1948 ને રસીનો પ્રથમ અને 7127 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 232 ને રસીનો પ્રથમ અને 1540 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 31803 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 3127 ને રસીનો પ્રથમ અને 2921 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 270839 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,46,21,565 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube