ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,997 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 25,473 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 216 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 216 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,997 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


નર્મદામાં સીઆર પાટિલ કહ્યું; 'માં નર્મદાના તટે રેલી કાઢી મને એમ હતું કે રેલી હશે, પણ ખૂબ મોટો રેલો નીકળ્યો'


નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 25, વડોદરા કોર્પોરેશનમાં 5, ગાંધીનગર 1, રાજકોટ 1, સુરત કોર્પોરેટર 1, વલસાડમાં 1 એમ કુલ 34 કેસ નોંધાયા છે.


ZEE 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં શિક્ષણમંત્રીની મોટી જાહેરાત, 'ગુજરાતમાં 21 થી 23 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે'


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 642 નાગરિકોને રસીનો પ્રથમ અને 8320 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 71 ને રસીનો પ્રથમ અને 912 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 11391 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 425 ને રસીનો પ્રથમ અને 3712 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 25,473 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,99,31,606 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube