ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 27 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,320 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 61,379 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 111 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 109 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,13,320 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. પરંતુ રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું નથી. રાજ્યમાં આજે કોરોનાના કુલ 16 કેસ નોંધાયા તે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 4,  વડોદરા કોર્પોરેશન 3, વલસાડ 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, પંચમહાલ 1 એમ કુલ 16 કેસ નોંધાયા છે. 


કન્ટેનર ઇકો પર પડતા કારનો ભુક્કો બોલાયો; નવસારીના કસ્બા ધોળાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માત


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 942 ને રસીનો પ્રથમ અને 9313 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 325 ને રસીનો પ્રથમ અને 2396 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 10739 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 4057 ને રસીનો પ્રથમ જ્યારે 33607 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 61,379 રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,79,46,990 ડોઝ અપાઇ ચુક્યાં છે. 


રાજકીય દાવપેચ વચ્ચે મોટા સમાચાર, નરેશ પટેલે વલ્લભ કાકડીયા સાથે BJPના ધારાસભ્યો સાથે કરી મુલાકાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube